For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે રક્ષામંત્રી કરશે બેઠક

Updated: Feb 23rd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામા આતંકી હુમલાને લઇને મોટી બેઠક યોજાવાની છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ થલ સેના, વાયુ સેના અને નૌસેનાના પ્રમુખોની 25 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. સોમવારે યોજાનારી બેઠક બે દિવસ ચાલશે.

બે દિવસીય આ બેઠકમાં સરકાર અધિકારીઓને આતંકવાદના મોર્ચે પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે કહી શકે છે. સુત્રોએ કહ્યું કે, અધિકારીઓને પુલવામા હુમલામાં પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે કહેવામાં આવશે. નોંધનિય છે કે, પુલવામા હુમલાને લઇને ભારતે પહેલા જ વિશ્વના શક્તિશાળી દેશોને એકસાથે લાવી રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહીના પણ સંકેત આપ્યા છે ત્યારે આ બેઠક ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Gujarat