For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહીદના અંતિમ સંસ્કારમાં ખડખડાટ હસી રહેલા મંત્રીને જોઈને લોકોએ ગુમાવ્યો પિત્તો

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મેરઠના સપૂત અજય કુમારના અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા યોગી સરકારના મંત્રીને લોકોના રોષનો ભોગ બનવુ પડ્યુ હતુ.

કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ અંતિમ સંસ્કાર સમયે કોઈ વાત પર પોતાની બાજુમાં બેઠેલા અન્ય એક નેતાની સાથે હસતા નજરે પડ્યા હતા.જ્યારે લોકો શોકમાં ડુબેલા હતા ત્યારે મંત્રી જાણો કોઈ બીજા જ સ્થળે બેઠા હોય તેવુ લાગતુ હતુ.આ જોઈને શહીદ અજય કુમારના પરિવારજનોએ પણ વાંધો વય્ક્ત કર્યો હતો.બીજા લોકોએ પણ આ હરકતનો વિરોધ કર્યો હતો.

લોકોના ગુસ્સાને પારખી ગયેલા મંત્રી સત્યપાલસિંહે બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી.આ સમયે અન્ય એક મંત્રી સિધ્ધાર્થનાથ સિંહ અને મેરઠના ભાજપ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ પણ હાજર હતા.

આટલુ જ નહી સંખ્યાબંધ નેતાઓને પગમાં જૂતા ઉતાર્યા વગર બેઠેલા જોઈને લોકોનો રોષ બેવડાઈ ગયો હતો.એ પછી નેતાઓ જૂતા ઉતારીને બેઠા હતા.લોકોનો રોષ બેકાબૂ થતો જોઈને પોલીસન ેદરમિયાનગીરી કરવી પડી હતી. ભાજપના મંત્રીની તસવીરો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

Gujarat