India

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં 'સમ્રાટ' સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ

By GS TEAM
7 May 20262 mins read
TukuTouch Logo
Nitish Kumar’s Son Nishant Sworn In as Minister in Bihar | બિહારની રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં 'સમ્રાટ' સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ

Nitish Kumar’s Son Nishant Sworn In as Minister in Bihar | બિહારની રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.

નવા મંત્રીમંડળનું ગણિત: BJP અને JDU વચ્ચે 50-50 ફોર્મ્યુલા

શાસક ગઠબંધનમાં સંતુલન જાળવવા માટે ભાજપ અને જેડીયુ વચ્ચે બરાબરની ભાગીદારી રાખવામાં આવી છે. શપથ લેનારા 32 મંત્રીઓમાં:

BJP: 16 મંત્રીઓ (મુખ્યમંત્રી સહિત)

JDU: 16 મંત્રીઓ

આ ઉપરાંત HAM (સંતોષ સુમન) અને LJP(R)ના ક્વોટામાંથી પણ ધારાસભ્યોને સ્થાન મળ્યું છે.


નિશાંત કુમાર બન્યા મંત્રી: પિતા નીતીશ કુમારના આશીર્વાદ લીધા

આ શપથ ગ્રહણ સમારોહનું સૌથી મોટું આકર્ષણ પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રહ્યા હતા. નિશાંત કુમારે જેડીયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ પહેલા તેમણે મંચ પર પોતાના પિતા નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. નિશાંતની સાથે વિજય સિંહા, શ્રવણ કુમાર, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલ જેવા દિગ્ગજોએ પણ શપથ ગ્રહણ કર્યા છે.

કેબિનેટ વિસ્તરણના મુખ્ય ચહેરાઓ

BJP ક્વોટા: રામ કૃપાલ યાદવ, કેદાર ગુપ્તા, નીતીશ મિશ્રા, વિજય કુમાર સિંહા, પ્રમોદ ચંદ્રવંશી, સંજય ટાઈગર અને કુમાર શૈલેન્દ્ર વગેરે.

JDU ક્વોટા: નિશાંત કુમાર, મદન સાહની, લેસી સિંહ, શ્વેતા ગુપ્તા (નવો ચહેરો), અશોક ચૌધરી અને રત્નેશ સદા વગેરે.