India

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાને લઈને જતી બસ ખીણમાં ખાબકતા 13 મોત, 34ને ઈજા

By GS TEAM
6 Feb 20261 min read
TukuTouch Logo
ભારતીય સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત થયો છે, જેમાં જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના મોત અને 34ને ઈજા થઈ છે. આ બસ બેતડીથી બજાંગ જિલ્લા જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, ખીણમાંથી તમામને બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાને લઈને જતી બસ ખીણમાં ખાબકતા 13 મોત, 34ને ઈજા

Nepal Bus Accident : ભારતીય સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત થયો છે, જેમાં જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના મોત અને 34ને ઈજા થઈ છે. આ બસ બેતડીથી બજાંગ જિલ્લા જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, ખીણમાંથી તમામને બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર છે.

બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી

મીડિયા રિપોર્ટ મુજબ, બસ બેતડી જિલ્લાના સાત ભવને ગામમાંથી કન્યાને લઈને બજાંગના સુનકુડા જઈ રહી હતી. આ દરમિયાન પૂરચૂંણીના બડગાવ પાસે વળાંક પર ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

મોડી રાત્રે બની ઘટના

પોલીસે જણાવ્યું છે કે, હાલ ઘટનાસ્થળે પૂરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મોડી રાત્રે ઘટના બનતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસની ટીમ, નેપાળ એપીએફ સહિતની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમાંથી 13ના મોત અને 34 જાનૈયાઓને ઈજા થઈ હતી. બસમાં વધુ પડતા મુસાફરો હતા. જ્યારે વળાંક આવ્યો ત્યારે બસ ઢાળ ચઢી શકી ન હતી અને તે ખીણમાં ખાબકી ગઈ હતી.

આ પણ વાંચો : હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ

આ પણ વાંચો : અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો