પુલવામા હુમલો: ઘણાં દેશોના હાઇકમિશનના અધિકારીઓ વિદેશ મંત્રાલય પહોંચ્યા
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામામાં CRPFના જવાનો પર હુમલાના વિરોધમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ મોટી કુટનીતિક કાર્યવાહી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને જવાબ આપવા ભારત વિદેશ મંત્રાલય યોજના તૈયાર કરી રહ્યું છે અને તે માટે ઘણાં દેશના હાઇકમિશનના અધિકારીઓને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ઘણા દેશોના અધિકારી વિદેશ મંત્રાલય પહોંચવાના શરૂ થઇ ગયા છે, અત્યાર સુધીમાં જર્મની, હંગેરી, ઇટલી, યુરોપિયન યૂનિયન, કેનેડા, બ્રિટન, રશિયા, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને જાપાનના હાઇકમિશનના અધિકારીઓ વિદેશ મંત્રાલય પહોંચી ગયા છે.
Gujarat