J&K: કુલગામમાં આતંકવાદીઓ-સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણમાં એક આતંકી ઠાર, પોલીસ અધિક્ષક શહિદ
Updated: Feb 24th, 2019
શ્રીનગર, તા. 24 ફેબ્રુઆરી 2019, રવિવાર
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે ઘર્ષણમાં એક આતંકીવાદી ઠાર થયો છે. અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું કે, વિસ્તારમાં એક આતંરી સમુહ હોવાની ગૃપ્ત સુચનાના મળ્યા બાદ કુલગામના તુરિગામ વિસ્તારમાં ઘર્ષણ શરૂ થયું ત્યાં પહોંચેલા પોલીસદળ પર ફાયરિંગ થઇ જેમાં પોલીસ અધિક્ષક અમન ઠાકુર ગંભીરપણે ઘાયલ થયા. જેમણે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા સમયે અંતિમ શ્વાસ લીધા.
ઘર્ષણમાં એક આતંકીને ઠાર કર્યો છે પરંતુ તેની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સાથે ઘર્ષણમાં જમ્મુ કાશ્મીર પોલીસ સેવાના 2011ની બેચના અધિકારી ઠાકુર પોલીસ દળની આગેવાની કરી રહ્યું હતુ.
Gujarat