For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે...' ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન

Updated: May 9th, 2024

'PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે...' ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન

Lok Sabha Elections 2024 | મોદી સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાઓનું ફરી પુનરાવર્તન કરતાં કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારતમાં પાછો લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રી દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે મોદી સરકારે ભારતીય બંધારણની કલમ 370 નાબૂદ કરી, જ્યારે લોકોની માન્યતા સંપૂર્ણપણે અલગ હતી.

370 કલમ અંગે મોટું નિવેદન 

જયશંકરે કહ્યું કે લોકોએ એવું જ માની લીધું હતું કે 370 હટાવી નહીં શકાય અને આ એવી વસ્તુ છે જે આપણે સ્વીકારવી પડશે. હવે એકવાર આપણે તેને બદલી છે એટલે સમગ્ર વાસ્તવિક સ્થિતિ બદલાઈ ગઈ છે. હું PoKના સંદર્ભમાં એટલું જ કહી શકું છું કે સંસદમાં એક ઠરાવ છે અને દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે PoK, જે ભારતનો ભાગ છે, તે ભારતમાં પાછો લાવવામાં આવે. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે 10 વર્ષ પહેલા અથવા 5 વર્ષ પહેલા પણ લોકોએ અમને આ પૂછ્યું ન હતું. જયશંકરે કહ્યું કે જ્યારે અમે કલમ 370 નાબૂદ કરી, ત્યારે લોકો સમજે છે કે PoK પણ મહત્વપૂર્ણ છે.

PoK અંગે અગાઉ કહી હતી આ વાત 

અગાઉ રવિવારે વિદેશ મંત્રીએ જાહેરાત કરી હતી કે PoK ક્યારેય ભારતની બહાર નહીં જાય. ઓડિશામાં એક કાર્યક્રમમાં એક પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે કહ્યું હતું કે, "PoK ક્યારેય આ દેશની બહાર નથી રહ્યો. તે આ દેશનો એક ભાગ છે. સંસદનો ઠરાવ છે કે PoK સંપૂર્ણપણે ભારતનો ભાગ છે."

Article Content Image


Gujarat