For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં UNLOCK-2 માટે ગાઈડલાઈન જાહેર, જાણો, શેમા મળશે છૂટ, શેમાં રહેશે પ્રતિબંધ

Updated: Jun 29th, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 29 જુન 2020, સોમવાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-2 માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. કોરોના વાઈરસના કંટેન્ટમેન્ટ ઝોનના બહારના વિસ્તારમાં ઘણી ગતિવિધિઓને છૂટ હશે જ્યારે કંન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન સખ્તાઈથી લાગૂ રહેશે.

30 જુને દેશમાં અનલોક-1ની અવધી પૂર્ણ થઈ રહી છે. આ સાથે જ દેશમાં અનલોક-2ની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક ગતિવિધિઓને છૂટ આપવામાં આવશે પરંતુ સાથે પ્રતિબંધો પણ હશે જ્યારે કંન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે. આ નવી ગાઈડલાઈન 1લી જુલાઈથી લાગૂ થશે.

અહીં મળી છૂટ

  • સિમિત સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને ટ્રેનનું સંચાલન શરૂ રહેશે
  • રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર, રાત્રે 10 થી સવારે 5 રાત્રી કર્ફ્યૂ
  • ઔદ્યોગિક એકમો, હાઈવે પર લોકોની અવરજવર અને માલસામાનના પરિવહનને રાત્રી કર્ફ્યૂમાં છૂટ
  • મુસાફરી બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે રાત્રી કર્ફ્યૂમાં છૂટ


અહીં રહેશે પ્રતિબંધ

  • શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ 31 જુલાઈ સુધી બંધ રહેશે
  • દુકાનોમાં 5થી વધારે લોકો ભેગા થઈ શકશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે
  • ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ રહેશે માત્ર મંજુરી મેળવેલી ફ્લાટ્સ ઉડી શકશે
  • સિનેમા હોલ, મેટ્રો સર્વિસ, સ્વીમિંગ પૂલ, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ એકઠી થવા પર પ્રતિબંધ
  • સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો પર પ્રતિબંધિત રહેશે
Gujarat