સોનમ બેવફા: પાંચ વર્ષ નાના મેનેજર રાજ માટે રાજાની હત્યા! જાણો હનીમૂન મર્ડર કેસની સંપૂર્ણ માહિતી
Raja Raghuvanshi Murder Case: નવપરિણીત સોનમ રઘુવંશી, જે ઇન્દોરની છે, હાલમાં દેશભરમાં ચર્ચામાં છે. લગ્નના એક મહિનામાં જ મેઘાલયમાં પતિની હત્યા કર્યા બાદ સોનમને ગાઝીપુરથી ઝડપી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં હવે જે ખુલાસાઓ થઈ રહ્યા છે, તેનાથી આખો મામલો વધુ રસપ્રદ બની રહ્યો છે. ખાસ કરીને, સોનમના પ્રેમી રાજ કુશવાહના સામે આવ્યા બાદ આ મામલાની વધુ ચર્ચા થવા લાગી છે. બીજી તરફ, સોનમ રઘુવંશીની પોલીસે ગાઝીપુરથી અટકાયત પણ કરી લીધી છે.
પિતાની ફેક્ટરીમાં રાજ અને સોનમની નિકટતા વધી
મળતી માહિતી મુજબ, ઇન્દોર નિવાસી સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહ રઘુવંશીની એક નાની પ્લાયવુડ ફેક્ટરી છે. આ જ ફેક્ટરીમાં રાજ કુશવાહ નામનો એક યુવક કામ કરતો હતો. તે ઉંમરમાં સોનમથી લગભગ પાંચ વર્ષ નાનો છે, પરંતુ ફેક્ટરીમાં એકાઉન્ટ્સ અને સ્ટાફ મેનેજમેન્ટ સંબંધિત કેટલીક જવાબદારીઓ નિભાવવાના બહાને સોનમનું આવન-જાવન રહેતું હતું.
આ જ દરમિયાન રાજ કુશવાહ અને સોનમની નિકટતા વધી. ફેક્ટરીના કર્મચારીઓએ પણ ઘણીવાર બંનેને વાત કરતા જોયા હતા, પરંતુ કોઈને અંદાજો નહોતો કે મામલો એટલો આગળ વધી જશે કે સોનમ લગ્ન પછી પોતાના પતિની જ હત્યા કરી નાખશે. પોલીસે રાજ કુશવાહની ધરપકડ કરી લીધી છે. સૂત્રો અનુસાર, પોલીસ રાજ કુશવાહના અને ફેક્ટરીમાંથી તેના બધા રેકોર્ડ ખંગાળી રહી છે અને મોબાઈલ લોકેશન તથા કોલ ડિટેલ્સની તપાસ કરી રહી છે.
હું રાજને ઓળખું છું: સોનમના પિતા
જ્યારે મીડિયાએ સોનમ અને રાજના સંબંધો પર સવાલ કર્યા, તો તેના પિતા દેવી સિંહે કહ્યું, 'હા, હું રાજને ઓળખું છું. તે મારી પાસે કામ કરે છે. પરંતુ તે એ જ રાજ કુશવાહ છે, તે હું કહી શકતો નથી. તે તો પહેલા પણ હતો, આજે પણ છે.'
રાજા-સોનમના લગ્ન અને હનીમૂન
સોનમ અને રાજા રઘુવંશીના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. લગ્ન બંને પરિવારની મંજૂરીથી ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્નના 9 દિવસ પછી, એટલે કે 20 મેના રોજ કપલ હનીમૂન માટે મેઘાલય રવાના થયું.
22 મેના રોજ તેઓ બંને ભાડાના સ્કૂટર પર મેઘાલયના માવલાખિયાત વિસ્તારમાં ટ્રેકિંગ માટે પહોંચ્યા. ત્યાંથી તેઓ લગભગ શિપારા હોમસ્ટેમાં રોકાયા. 23 મેની સવારે તેમણે ચેકઆઉટ કર્યા બાદથી જ બંનેનો કોઈ પત્તો નહોતો. 24 મેના રોજ સ્કૂટર શિલોંગ-સોહરા માર્ગ પર એક કેફેની બહાર લાવારિસ હાલતમાં મળ્યું. પોલીસને શંકા ત્યારે વધુ ઘેરી બની જ્યારે 2 જૂને રાજાનો મૃતદેહ એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો.
ટ્રેકિંગ ગાઇડના નિવેદનથી કરી વધુ તપાસ
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે એક સ્થાનિક ટૂરિસ્ટ ગાઇડએ કેટલીક વાતો જણાવી. ગાઇડએ દાવો કર્યો કે, 'મેં 23 મેના રોજ સોનમ અને રાજાને અન્ય ત્રણ પુરુષો સાથે ટ્રેકિંગ કરતા જોયા હતા. ટ્રેક પર ચાર પુરુષો આગળ-આગળ ચાલી રહ્યા હતા, અને સોનમ પાછળ હતી. તેઓ હિન્દીમાં વાત કરી રહ્યા હતા, પરંતુ હું માત્ર ખાસી અને અંગ્રેજી ભાષા જ સમજતો હોવાથી મને વાતચીતનો અર્થ સમજાયો નહિ.'
ટૂરિસ્ટ ગાઇડએ એ પણ જણાવ્યું કે, '22 મેના રોજ મેં કપલને ટ્રેકિંગ સર્વિસ ઓફર કરી હતી, પરંતુ સોનમ અને રાજાએ મને ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે તેઓ પહેલાથી જ કોઈ અન્ય ગાઇડને હાયર કરી ચૂક્યા છે. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે તેમણે 'ભા વાનસાઈ' નામના ગાઇડને હાયર કર્યો હતો અને 'શિપારા હોમસ્ટે'માં રોકાયા હતા. તેમજ 23 મેની સવારે જ્યારે કપલ ટ્રેકિંગ કરી રહ્યું હતું, ત્યારે તેમની સાથે કોઈ ગાઇડ નહોતો. ત્યારે આ સવાલ ઊભો થયો હતો કે બાકીના ત્રણ લોકો કોણ હતા?'
આ પણ વાંચો: BIG NEWS: અરબ સાગરમાં જહાજમાં ભીષણ આગ, 'INS સુરત' મદદ માટે રવાના, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પ્લાનિંગ કરીને કરી હત્યા
રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂને મેઘાલયના સોહરા વિસ્તારના વિસાવડોંગ ધોધ પાસે એક ખાઈમાં મળ્યો. મૃતદેહની હાલત અત્યંત ખરાબ હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મૃતદેહમાંથી રાજાની સોનાની વીંટી અને ચેઇન ગાયબ હતી. આથી પોલીસને આશંકા હતી કે આ કોઈ લૂંટફાટ પછીની પ્લાનિંગ સાથેની હત્યા હોઈ શકે છે. હવે જાણવા મળ્યું છે કે સોનમે પોતાના પ્રેમી કે અન્ય લોકો સાથે મળીને આ પ્લાનને અંજામ આપ્યો હતો, જેથી કોઈને શંકા ન થાય.
ગાઝીપુરના ઢાબાથી ધરપકડ અને પિતાની CBI તપાસની માંગ
સોનમને પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત ઢાબામાંથી ઝડપી લીધી હતી. ઢાબાના માલિક સાહિલ યાદવ અનુસાર, 'રાત્રે લગભગ 1 વાગ્યે સોનમ આવી અને પોતાના ભાઈને ફોન કરવા માટે મોબાઈલ માંગ્યો. તે રડી રહી હતી અને કહ્યું કે મારા પતિની હત્યા થઈ ગઈ અને તેની સાથે લૂંટ થઈ. ત્યારબાદ રાત્રે 3 વાગ્યે પોલીસ આવી અને સોનમને પકડી ગઈ.'
સોનમના પિતાનું કહેવું છે કે, 'મને મારી દીકરી સાથે વાત કરવાનો પણ મોકો ન મળ્યો. મે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે આ મામલાની CBI તપાસની માંગ કરી છે. મારી દીકરી 100% નિર્દોષ છે અને મેઘાલય પોલીસ શરૂઆતથી જ ખોટું બોલી રહી છે.'