Get The App

BIG NEWS: અરબ સાગરમાં જહાજમાં ભીષણ આગ, 'INS સુરત' મદદ માટે રવાના, રેસ્ક્યુ ઓપરેશન શરુ

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS: અરબ સાગરમાં જહાજમાં ભીષણ આગ, 'INS સુરત' મદદ માટે રવાના, રેસ્ક્યુ ઓપરેશન શરુ 1 - image


Explosion On Singapore-Flagged Ship: કેરળના દરિયા કિનારાથી દૂર સોમવારે સવારે સિંગાપુરના ધ્વજવાળું કન્ટેનર જહાજ MV Wan Hai 503માં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ સ્થિત મરીન ઓપરેશન્સ સેન્ટર (MOC) દ્વારા સવારે 10:30 વાગ્યે કોચી સ્થિત તેના અન્ય કેન્દ્રને આ માહિતી આપવામાં આવી હતી. જહાજ 270 મીટર લાંબું છે અને તેનો ડ્રાફ્ટ 12.5 મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. આ જહાજ 7 જૂનના રોજ કોલંબોથી રવાના થયું હતું અને 10 જૂને મુંબઈ પહોંચવાની આશા હતી. 

આ પણ વાંચો : મુંબઈમાં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

જહાજના અંડરડેકમાં થયો હતો વિસ્ફોટ 

આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે વિસ્ફોટ જહાજના અંડરડેકમાં થયો હતો. અને જ્યારે ઘટના બની ત્યારે જહાજ કેરળના દરિયા કિનારા નજીક હતું. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારી વધારી દેવામાં આવી છે.



નૌસેના તાત્કાલિક એક્શનમાં, INS Suratને ડાયવર્ટ કરાયું 

સંરક્ષણ પીઆરઓના જણાવ્યા પ્રમાણે, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય નૌકાદળે તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને કોચી સ્થિત INS Suratને ઘટના સ્થળ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને તાત્કાલિક જહાજને જરુરી સહાય મળી શકે. આ નિર્ણય વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા સવારે 11 વાગ્યે લેવામાં આવ્યો હતો.

પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વિમાન મોકલવાની તૈયારી

આ સાથે જ નૌસેના દ્વારા કોચીમાં INS Garuda નેવલ એર સ્ટેશનથી ડોર્નિયર વિમાન ઉડાનની પણ યોજના બનાવી રહ્યું છે, જે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂરી સંકલન પૂરું પાડશે. ભારતીય નૌસેના અને દરિયાઈ એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. બચાવ અને રાહત કાર્ય માટે પ્રયાસો ચાલુ કરી દેવાયા છે.

આ પણ વાંચો : 'નાયક' ફિલ્મની જેમ હીરો બનવા નીકળેલા મંત્રીએ છેવટે ડૉક્ટરની માફી માંગી, સોશિયલ મીડિયામાં ટ્રોલ

કેરળ સરકારે જરૂરી તૈયારીઓ માટે સૂચના આપી

આ દરમિયાન કેરળના મુખ્યમંત્રીએ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(KSDMA)ને એર્નાકુલમ અને કોઝિકોડના જિલ્લા કલેક્ટરોને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ખાતરી કરવા કહ્યું છે કે, જો જહાજના ક્રૂ સભ્યોને કેરળના દરિયાકાંઠે લાવવામાં આવે છે, તો તેમને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડી શકાય. KSDMA એ સ્થાનિક હૉસ્પિટલો અને ઇમરજન્સી સેવાઓને ઍલર્ટ પર રાખી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

Tags :