For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતથી થથરી રહેલો મસૂદ અઝહર ગુપ્ત જગ્યાએ સંતાઈ ગયો છે

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પુલવામા હુમલા બાદ ભારતથી થથરી રહેલા જૈશ એ મહોમ્મદના આતંકી સરગણા મસૂદ અઝહરે પહેલા જ પોતાનુ ઠેકાણુ બદલી નાંખ્યુ હતુ.

ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનુ કહેવુ છે કે આ પ્રકારનો હુમલો ભારત કરશે તેવી આશંકા જૈશ એ મહોમ્મદના આકાઓને પહેલેથી જ હતી.એટલે જ આતંકી સંગઠનના મહત્વના સભ્યોને તરત જ જૈશે મહોમ્મહદના બહાવલપુર ખાતે આવેલા હેડકવાર્ટરથી બીજે ખસેડવામાં આવ્યા હતા.

અઝહર મસૂદ પોતે કોઈ ગુપ્ત જગ્યાએ જતો રહ્યો છે.મસૂદ અઝહરનો ભાઈ પણ પંજાબમાં કોઈ સ્થળે હોવાનુ મનાય છે.

Gujarat