ભારતથી થથરી રહેલો મસૂદ અઝહર ગુપ્ત જગ્યાએ સંતાઈ ગયો છે
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામા હુમલા બાદ ભારતથી થથરી રહેલા જૈશ એ મહોમ્મદના આતંકી સરગણા મસૂદ અઝહરે પહેલા જ પોતાનુ ઠેકાણુ બદલી નાંખ્યુ હતુ.
ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનુ કહેવુ છે કે આ પ્રકારનો હુમલો ભારત કરશે તેવી આશંકા જૈશ એ મહોમ્મદના આકાઓને પહેલેથી જ હતી.એટલે જ આતંકી સંગઠનના મહત્વના સભ્યોને તરત જ જૈશે મહોમ્મહદના બહાવલપુર ખાતે આવેલા હેડકવાર્ટરથી બીજે ખસેડવામાં આવ્યા હતા.
અઝહર મસૂદ પોતે કોઈ ગુપ્ત જગ્યાએ જતો રહ્યો છે.મસૂદ અઝહરનો ભાઈ પણ પંજાબમાં કોઈ સ્થળે હોવાનુ મનાય છે.
Gujarat