ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ હોવા છતા કોઇ કાર્યવાહી કેમ નહી?: મમતા બેનર્જી
Updated: Feb 18th, 2019
કોલકત્તા, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુલવામા હુમલાને લઇને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, સરકાર પાસે 8 ફેબ્રુઆરીએ જ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ હતા કે સામાન્યુ ચૂંટણી 2019 પહેલા આ પ્રકારનો હુમલો થઇ શકે છે, કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવી નહી?
તેમણે કહ્યું, કેમ 78 ગાડીઓના કાફલાને જવા દેવામાં આવ્યા? મારી પાસે પણ ગૃપ્ત રિપોર્ટ છે કે મારો ફોન હંમેશા ટેપ કરવામાં આવે છે, જે તમે દરેક જાણો છો. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે તે લોકોની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જોઇએ જેમણે આટલા મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો છે.
Gujarat