Get The App

NCP એક થવાની અટકળોનો અંત ? મંચ પર અજિત પવારની હરકત, જોતાં રહી ગયા શરદ પવાર

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
NCP એક થવાની અટકળોનો અંત ? મંચ પર અજિત પવારની હરકત, જોતાં રહી ગયા શરદ પવાર 1 - image


Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવાજૂની જોવા મળી છે. અહીં એક કાર્યક્રમમાં ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવારનું અપમાન કર્યું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. એકતરફ રાજ્યમાં ભાગલા પડેલી પાર્ટી NCP એક થવાની અટકળો ચાલી રહી છે, તો બીજી તરફ મંચ પર અજિત પવારે કરેલી હરકતોથી NCP એક થવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેવું જોવા મળ્યું છે. આવતીકાલે 10 જૂને નેશનલ કોંગ્રેસ પાર્ટી NCPનો સ્થાપના દિવસ છે, જોકે તેના એક દિવસ પહેલા અજિત પવારે NCP એક ન હોવાના સંકેત આપી દીધા હોય તેવું દેખાઈ રહ્યું છે.

NCP એક થવાની અટકળોનો અંત ? મંચ પર અજિત પવારની હરકત, જોતાં રહી ગયા શરદ પવાર 2 - image

ભત્રીજાએ કાકા પાસે બેસવાનું ટાળ્યું

વાસ્તવમાં વસંદદાદા સુગર ઇન્સ્ટિટ્યુટ(VSI)માં શેરડીના ખેડૂતોને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૅક્નોલૉજી વિશે માહિતી આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NCPના વડા અજિત પવાર અને NCPSના વડા શરદ પવાર સહિતના અનેક નેતાઓ આવ્યા હતા. અહીં સૌની નજર મંચ પર અજિત પવાર અને શરદ પવાર પર હતી. મંચ પર સૌપ્રથમ શરદ પવાર આવીને બેસી ગયા હતા. ત્યારબાદ અજિત પવાર આવ્યા હતા, જોકે તેમણે શરદ પવાર પાસે બેસવાનું ટાળ્યું હતું.

NCP એક થવાની અટકળોનો અંત ? મંચ પર અજિત પવારની હરકત, જોતાં રહી ગયા શરદ પવાર 3 - image

અજિતે મંચ પર આવતાંની સાથે જ નેમ પ્લેટ બદલી નાખી

મંચ પર બંને નેતાઓની ખુરશીઓ સાથે મૂકવામાં આવી હતી. ટેબલ પર બંને નેતાઓના નામની નેમ પ્લેટ પર મૂકાઈ હતી. જોકે અજિતે ત્યાં આવીને તાત્કાલીક નેમ પ્લેટ બદલી નાખી હતી. મેનેજમેન્ટે અજિતને સ્ટેજ પર શરદ પવારની બાજુમાં બેસવાની વ્યવસ્થા કરી હતી. જોકે, અજિત પવારે પોતાના હાથે નેમ પ્લેટ ઊંચી કરી અને તેના સ્થાને સહકાર મંત્રી બાબાસાહેબ પાટીલની નેમ પ્લેટ લગાવી દીધી. આ કારણે બાબાસાહેબ પાટીલને તેમના કાકા અને ભત્રીજાની વચ્ચે બેસવું પડ્યું હતું. જોકે, આવું પહેલીવાર બન્યું નથી. અગાઉ પણ અજિત પવારે આવું કર્યું હતું.

આ પણ વાંચો : ભારતે ચીન-પાકિસ્તાની મિસાઈલથી પણ ભયાનક મિસાઈલ બનાવી, 350 કિલોમીટર દૂરના ટાર્ગેટને તોડવાની ક્ષમતા, જુઓ તેની તાકાત

અજિતે અગાઉ પણ આવું કર્યું હતું

અગાઉ 23 જાન્યુઆરી-2025ના રોજ વીએસઆઇ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ અજિતે શરદ પવાર પાસે બેસવાનું ટાળ્યું હતું. અજિતે જાતે જ વીએસઆઇ મેનેજમેન્ટ દ્વારા કરાયેલી બેઠક વ્યવસ્થામાં ફેરફાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શરદ પવાર આ ઇન્સ્ટીટ્યુટના પ્રમુખ છે, જ્યારે અજિત પવાર ટ્રસ્ટી છે. અજિત પવાર, બાબાસાહેબ પાટિલ અને માણિકરાવ કોકાટે રાજ્ય મંત્રીમંડળના સભ્યો છે. તેમાંથી સૌથી વરિષ્ઠ મંત્રી અજિત પવાર છે. તેથી, કાર્યક્રમના આયોજકોએ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અજિત પવારને શરદ પવારની બાજુમાં બેસવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસ વધ્યા; ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં નોંધાયા કેસ

Tags :