For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘મહારાષ્ટ્ર ભાજપ માટે સ્મશાન બની જશે...’ વડાપ્રધાન મોદી અંગે સંજય રાઉતના નિવેદનથી હોબાળો

Updated: Apr 30th, 2024

‘મહારાષ્ટ્ર ભાજપ માટે સ્મશાન બની જશે...’ વડાપ્રધાન મોદી અંગે સંજય રાઉતના નિવેદનથી હોબાળો

Maharashtra Lok Sabha Election 2024 : દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ઘણા નેતાઓ નિવેદન આપી બફાટ કરતા જોવા મળી છે, ત્યારે શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને BJP અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, ચોથી જૂને મહારાષ્ટ્રમાં ભાજપના અંતિમ સંસ્કાર થવાના છે, તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મા અહીં ભટકી રહી છે. સંજય રાઉતના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ભાજપના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રમાં થશે : સંજય રાઉત

સંજય રાઉતે આજે મીડિયા સમક્ષ કહ્યું કે, ‘તેમને મહારાષ્ટ્ર સાથે કોઈ લેવા-દેવા નથી. મોદીજીની ભટકતી આત્મા ભાજપ માટે સ્મશાન બની જશે. જો ભાજપના અંતિમ સંસ્કાર થશે, તો તે મહારાષ્ટ્રમાં થશે, તમે જોઈ લેજો. તેમનો આત્મા દિલ્હી-ગુજરાત થઈને મહારાષ્ટ્રમાં આવે છે. તેમની આત્મા વારંવાર મહારાષ્ટ્રમાં કેમ ભટકી રહી છે? કારણ કે મહારાષ્ટ્ર ભાજપ માટે ચોથી જૂને સ્મશાન જેવી સ્થિતિ સર્જાશે, તેથી જ તેમની આત્મા મહારાષ્ટ્રમાં ભાજપ માટે સ્મશાનની જેમ ભટકી રહી છે.’

તેમની આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગઈ છે : રાઉત

તેમણે કહ્યું કે, ‘અમે નિર્ણય કર્યો છે કે, જેઓ મહારાષ્ટ્રના દુશ્મન છે, જેમણે મહારાષ્ટ્રને તોડવાનો પ્રયાસ કર્યો છે, ભલે તે શરદ પવાર હોય કે, ઉદ્ધવ ઠાકરે હોય, તેમની પાર્ટીને તોડવાનો પ્રયાસ કરાયો છે. તેમની આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગઈ છે. અહીંના ઉદ્યોગપતિઓ, અહીંની સંપત્તિ બધુ જ હડપવા ઈચ્છે છે. આ આત્મા સામે અમારી લડાઈ છે, આ અઘોરી આત્મા છે.’

રાઉતે પ્રજ્વલ રેવન્ના અંગે પણ આપ્યું નિવેદન

સંજય રાઉતે કર્ણાટકમાં વીડિયો સેક્સ સ્કેન્ડલ મામલે કહ્યું કે, ‘ભાજપ એક ઢોંગ રચતી પાર્ટી છે. કર્ણાટકમાં 2800 વીડિયો વાયરલ થઈ રહા છે, જે ભાજપ પરિવારના સભ્યના છે. જુઓ મોદીજીનો પરિવાર કેટલો મોટો છે. તેમના પરિવારના સભ્ય 2800 દુષ્કર્મ કરે છે. તેમનો આટલો મોટો પરિવાર છે અને મોદીજી તે વ્યક્તિ માટે મત માંગે છે. આ માત્ર એક ભટકતો આત્મા જ કરી શકે છે. જો કોઈ આવું કામ કરી શકતું હોય તો તે માત્ર ભટકતી આત્મા જ કરી શકે છે અને મોદીજી જ તેવું કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુષ્કર્મ આચરનાર એક વ્યક્તિ માટે મત માંગે છે અને મોદીજીના દિલમાં આ મામલે કોઈ દુઃખ નથી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા (H. D. Deve Gowda)ના પૌત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્ના (H.D. Revanna)ના પુત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) પર દુષ્કર્મ, સેક્સ વીડિયો રેકોર્ડિંગ, ધાકધમકી અને ષડયંત્ર જેવા આરોપો મામલે કર્ણાટકમાં હાલ હોબાળો જોવા મળી રહ્યો છે. આ મામલે જેડી(એસ) પક્ષે જ્યાં સુધી SITની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

Gujarat