For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

J&K: પુલવામા હુમલાના સૂત્રધાર આતંકી અબ્દુલ રાશિદ ગાઝીનું લોકેશન ટ્રેસ

Updated: Feb 16th, 2019

J&K: પુલવામા હુમલાના સૂત્રધાર આતંકી અબ્દુલ રાશિદ ગાઝીનું લોકેશન ટ્રેસશ્રીનગર, તા. 16 ફેબ્રુઆરી 2019 શનિવાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે CRPF પર કરવામાં આવેલા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડના ઠેકાણાની જાણકારી મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર સેનાની ખાનગી એજન્સીને હુમલાના આતંકવાદી અબ્દુલ રાશિદ ગાઝીનું પુલવામા અથવા ત્રાલના જંગલોમાં હોવાની જાણકારી મળી છે.

તેમના અનુસાર આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યુ છે. જણાવાઈ રહ્યુ છે કે આતંકી અબ્દુલ રાશિદ ગાઝીને જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે મોકલ્યા હતા. સુરક્ષાદળ હવે આતંકી ગાઝીની તપાસમાં લાગેલુ છે.

એજન્સીઓને પુલવામા આતંકી હુમલામાં એક મહિના પહેલા ખાનગી જાણકારી મળી હતી કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ કોઈ મોટા હુમલાની ફિરાકમાં છે પરંતુ એજન્સી આ હુમલાની તપાસમાં વિફળ રહી. જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયેલા લગભગ 70 આતંકવાદીઓમાંથી આદિલ અહેમદ ડાર કેટેગરી Cનો આતંકવાદી હતો. ડારે ગુરુવારે CRPFના કાફલામાં સામેલ વાહનથી વિસ્ફોટકથી ભરેલી કારને ટકરાવીને આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.

Gujarat