Get The App

લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ? તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્ક-વિતર્ક

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ? તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્ક-વિતર્ક 1 - image


Lalu Yadav family Dispute: છેલ્લા કેટલાક સમયથી લાલુ યાદવના પરિવારમાં બધું બરાબર નથી ચાલી રહ્યું તેવા સુત્રો દ્વારા અહેવાલો મળી રહ્યા છે. તો એવી પણ વાત છે કે, શું તેજ પ્રતાપ યાદવની હકાલપટ્ટીથી લાલુ યાદવનો પરિવાર ફરી એકવાર વિખેરાઈ જવાની અણી પર આવી ગયો છે? બિહારના રાજકારણમાં આ પ્રશ્નો કોઈ વગર નથી ઉઠ્યા, પરંતુ લાલુની પુત્રી રોહિણી આચાર્ય દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ પછી ઉઠ્યા છે, જેના કારણે આ સવાલોને થોડુ વજન મળી રહ્યું છે. 19 સપ્ટેમ્બરની સાંજે રોહિણીએ X પર શું લખ્યું તે તમે જ જુઓ.

આ પણ વાંચો: ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય

મેં એક પુત્રી અને બહેન તરીકે મારી ફરજ અને ધર્મ નિભાવ્યો

રોહણીએ અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, 'મેં એક પુત્રી અને બહેન તરીકે મારી ફરજ અને ધર્મ નિભાવ્યો છે, અને આગળ પણ હું નીભાવતી રહીશે. મને કોઈ પદની લાલચ નથી, કે મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી. મારા માટે મારું આત્મસન્માન સર્વોપરી છે.'


આ સ્ટોરીમાં આગળ વધતા પહેલા, રોહિણી દ્વારા બીજી X પોસ્ટ જોવી જરૂરી છે. આ પોસ્ટ પણ રોહિણીએ થોડા કલાકો પહેલા જ કરી હતી. જેમાં તેણે લખ્યું છે, 'જે લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને સૌથી મોટું બલિદાન આપવાની હિંમત રાખે છે, નિર્ભયતા, હિંમત અને નિઃસ્વાર્થતા તેમના લોહીમાં વહે છે.'

આ પોસ્ટ સાથે, રોહિણીએ એક સાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવ્યા. તેણે જે વિડીયો શેર કર્યો છે તે એ સમયનો છે, જ્યારે તેણે તેના પિતા લાલુ યાદવને પોતાની કિડની દાન કરી હતી. રોહિણીએ ઈશારામાં એ વાત દર્શાવવાનો પ્રયાસ કર્યો કે તે પરિવારના સૌથી મુશ્કેલ સમયમાં તેમના પ્રયાસોમાં સૌથી આગળ ઊભી હતી.

આ લાલુના પરિવારમાં ચાલી રહેલા તણાવ દર્શાવે છે

પરંતુ સાંજ પડતાં જ તેનો બોજો પ્રતિભાવ સામે આવ્યો હતો, તેમાં છતુ થાય છે કે, પરિવારમાં સ્પષ્ટપણે તણાવમાં હશે. રોહિણીએ કટાક્ષ અને લાગણી બંનેનું મિશ્રણ કરીને કહ્યું કે, તેણે પોતાની ફરજ બજાવી છે અને તેને કોઈ પદની કોઈ ઈચ્છા નથી. તેણે તેમને આત્મસન્માનની યાદ પણ અપાવી.

ઘટનાક્રમમાં થોડા પાછળ જઈને જોઈએ તો, છેલ્લા કેટલાક સમયથી તેમની નારાજગીના કારણોના સંકેત જોવા મળી રહ્યા છે. 18 સપ્ટેમ્બરની સવારે રોહિણીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી. જે તેની પોતાની નથી. પરંતુ માત્ર તેને શેર કરી હતી. પોસ્ટમાં એક ફોટો હતો. તેમાં સંજય યાદવ તેજસ્વી યાદવની બિહાર અધિકાર યાત્રા દરમિયાન તેમના રથ (બસ) માં તેમની સીટ પર બેઠેલા જોવા મળી રહ્યા હતા. 

લોકો પણ લાલુ પરિવારની અંદર ચાલી રહેલા તોફાનને સમજી રહ્યા છે. રોહિણી દ્વારા શેર કરાયેલી પોસ્ટ પર એક વ્યક્તિએ લખ્યું, આગળની સીટ હંમેશા ટોચના નેતૃત્વ માટે અનામત રાખવામાં આવે છે. કોઈએ તેમની ગેરહાજરીમાં પણ અહીં સ્થાન ન લેવું જોઈએ. જોકે, જો 'કોઈ' પોતાને ટોચના નેતૃત્વથી શ્રેષ્ઠ માને છે, તો તે અલગ વાત છે!

લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ? તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્ક-વિતર્ક 2 - image

સમગ્ર બિહારની સાથે સાથે આપણે બધા લાલુ યાદવ અને તેજસ્વી યાદવને આ સીટ એટલે કે, આગળની સીટ પર બેસતા જોવા માટે ટેવાયેલા છીએ. તેમની જગ્યાએ કોઈ બીજુ બેસે, એ અમને બિલકુલ મંજુર નથી.  આ પોસ્ટ સ્પષ્ટપણે સંજય યાદવને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી હતી, અને રોહિણીએ તેને શેર કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા.

'તે પાર્ટીના રણનીતિકાર તરીકે પણ સેવા આપે છે'

સંજય યાદવને છેલ્લા કેટલાક વર્ષોથી તેજસ્વીનો રાજકીય કરોડરજ્જુ માનવામાં આવે છે. તેઓ તેજસ્વીના સલાહકાર તરીકેની ભૂમિકામાં તો નજરે પડે જ છે, પરંતુ જેઓ RJD ને નજીકથી જાણે છે તેઓ કહે છે કે તે પાર્ટીના રણનીતિકાર તરીકે પણ સેવા આપે છે.

આ પણ વાંચો: 127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી

મિત્રતા અને પાર્ટીમાં સંજયનું કદ પણ વધ્યું

સંજય અને તેજસ્વીની મિત્રતા ક્રિકેટના મેદાનથી શરૂ થઈ હતી. એવું કહેવાય છે કે, સંજયે તેજસ્વીના રાજકીય કૌશલ્યને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જેમ જેમ તેજસ્વી આગળ વધતો ગયો તેમ તેમ તેમની મિત્રતા અને પાર્ટીમાં સંજયનું કદ પણ વધતું ગયું. આ મિત્રતાનું પરિણામ એ છે કે સંજય યાદવ RJD તરફથી રાજ્યસભાના સાંસદ છે.

Tags :