For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જા માટે કેજરીવાલ બેસશે ભૂખ હડતાળ પર

Updated: Feb 23rd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2019, શનિવાર

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1લી માર્ચથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર ઉતરશે. વિધાનસભામાં તેમણે કહ્યું કે, દિલ્હી સાથે 70 વર્ષોથી અન્યાય થઇ રહ્યો છે તેવામાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવો જરૂરી છે.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, સમગ્ર દેશમાં લોકશાહી છે પરંતુ દિલ્હીમાં નથી. લોક મત આપીને સરકાર ચૂંટે છે પરંતુ સરકાર પાસે કોઇ શક્તિ નથી. તેથી અમે 1લી માર્ચથી ચળવળ શરૂ કરી રહ્યાં છીએ અને હું દિલ્હીને પૂર્ણ રાજ્ય માટે અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેસીશ.
Gujarat