યુપીના દેવબંદમાંથી પકડાયો જૈશ-એ-મહોમ્મદનો આતંકવાદી
Updated: Feb 22nd, 2019
લખનૌ,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામાના આતંકવાદી હુમલા બાદ યુપીના દેવબંદમાંથી યુપી પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે કેટલાક આતંકવાદીઓની ધરપકડ કરી છે.આ પૈકી એક શાહનવાઝ તેલી જૈશ એ મહોમ્મદની સાથે જોડાયેલો હોવાનુ બહાર આવ્યુ છે.તે કાશ્મીરના કુલગામનો રહેવાસી છે.
શાહનવાઝનુ કામ સંગઠનમાં નવા આતંકવાદીઓની ભરતી કરવાનુ હતુ.છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તે સક્રિય હતો.આ મામલામાં એટીએસ દ્વારા આજે વધુ વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
પુલવામા હુમલાની જવાબદારી જૈશ એ મહોમ્મદે લીધી છે અને તેવામાં આ સંગઠન સાથે જોડાયેલો આતંકવાદી યુપીમાંથી પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.યુપીના કેટલા યુવાનોને તેણે બહેકાવીને આતંકવાદી સંગઠનમાં ભરતી થવા ઉશ્કેર્યા છે તેની તપાસ હાલમાં ચાલી રહી છે.
Gujarat