જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jan Dhan Account KYC: પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ને દશ વર્ષ પુરા થઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો પ્રમાણે બેંક એકાઉન્ટ ખોલાવ્યા પછી દર વર્ષે KYC (Know Your Customer) કરાવવું જરુરી છે. જો તમારે પણ કોઈ બેંકમાં જન ધન એકાઉન્ટ હોય તો, ફટાફટ તેની KYC કરાવી લેવું. તેના માટે RBIએ 30 સપ્ટેમ્બર સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે. KYC નહી કરાવવામાં આવે તો બેંક તમારું ખાતું બંધ કરી શકે છે. આનાથી સરકારી સબસિડી મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે.
આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન, જાણો મામલો
આ ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી યોજના
પ્રધાનમંત્રી જન ધન યોજના 2014 માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે બેંક ખાતું ખોલાવીને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો. તેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના લોકોનો સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ, કોઈ મિનિમમ બેલેન્સની જરુર નથી. ખાતાધારકો ઓવરડ્રાફ્ટનો પણ લાભ લઈ શકે છે, એટલે કે ખાતામાં રોકડ ન હોય તો પણ તેઓ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. એક મર્યાદા નક્કી કરવામાં આવી છે, અને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઉપાડવામાં આવેલા ભંડોળ પર વ્યાજ વસૂલ કરે છે.
આ પણ વાંચો: મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, અનેક જવાનો ઘાયલ
શું છે રી-કેવાયસી, કેમ જરૂરી છે?
2014-15માં ખોલવામાં આવેલા ખાતાઓને ફરીથી KYC કરવાની જરૂર પડશે, કારણ કે આ ખાતાઓની KYC માન્યતા દસ વર્ષની છે. ખાતાને એક્ટિવ રાખવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. ફરીથી KYC પણ ખૂબ જ સરળ છે; તમે બેંકને અપડેટ કરેલી માહિતી આપો છો, જેમ કે તમારું વર્તમાન સરનામું, નામ અને અપડેટ કરેલો ફોટો. આ છેતરપિંડી અટકાવવામાં અને બેંકિંગ સેવાઓની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. દેશભરની સરકારી બેંકો 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્પનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ હેઠળ, ઘરે ઘરે KYC હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં, અંદાજે 1 લાખ ગ્રામ પંચાયતોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અને લાખો લોકોએ તેમનું KYC પૂર્ણ કર્યું છે.








