પુલવામા કરતાં મોટા હુમલાની તૈયારી જેશ કરી રહ્યો છે
- ગુપ્ચતર વિભાગે સિક્યોરિટી દળોને સાવધ કર્યાં
- લીલા રંગની એક સ્કોર્પિયો કારને ટ્રેસ કરી રહ્યા છે
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી તા.21 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર
કેન્દ્રીય ગુપ્તરસ વિભાગે સિક્યોરિટી દળોને સાવધ કરતાં કહ્યું હતું કે જૈશ એ મુહમ્મદ પુલવામા કરતાં પણ મોટો આતંકવાદી હુમલો કરવાની યોજના ઘડી રહ્યું હોવાની માહિતી મળી હતી.
એક લીલા રંગની સ્કોર્પિયો કાર વિસ્ફોટક દ્રવ્યો સાથે ફરી રહી હોવાની જાણકારી ગુપ્તચર દળને મળી હતી. આ માહિતીને ગંભીરતાથી લેવામાં આવી હતી અને ગુપ્તચર દળે તરત સિક્યોરિટી દળોને સાવધ કર્યાં હતા.
ગુપ્તચર દળોએ આંતરેલા આતંકવાદીઓના સંદેશામાં જાણવા મળ્યા મુજબ 14મી ના હુમલામાં 200 કિલો વિસ્ફોટકો વાપર્યા હતા. આ વખતે 500 કિલો વિસ્ફોટકો વાપરવાના છે.
આ સંદેશામાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ લડાઇ ભારતીય લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે છે. એટલે સિક્યોરિટી દળોએ કશ્મીરી પ્રજાને એમાંથી બાકાત રાખવી જોઇએ.
જોકે કશ્મીરી યુવાનો પથ્થમારો કરે છે એને આ લોકો આઝાદીનો જંગ ગણાવે છે. ગુપ્તચર ખાતાએ કહ્યું હતું કે આગામી બે ત્રણ દિવસમાં આવો મોટો હુમલો કરવાની જૈશની યોજના છે.