India

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચ પહેલાં ભારતમાં રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદ વચ્ચે ભાજપના પ્રવક્તા બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે, જો ભારત આ મેચ નહીં રમે તો તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ પણ લાગી શકે છે. તેમણે આ મેચને વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે ભારત 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન

BJP Brigadier Anil Gupta : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચ પહેલાં ભારતમાં રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદ વચ્ચે ભાજપના પ્રવક્તા બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે, જો ભારત આ મેચ નહીં રમે તો તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ પણ લાગી શકે છે. તેમણે આ મેચને વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે ભારત 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ભાવનાઓને બાજુ પર રાખીને વાસ્તવિકતાનો સામનો કરવાની અપીલ

બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ કહ્યું કે, લોકોની લાગણીઓ સમજવા જેવી છે, પરંતુ આપણે વાસ્તવિકતાવાદી બનવું પડશે. જો ભારત રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતું હોય, ઓલિમ્પિક જેવી મોટી રમતોની યજમાની કરવા માંગતું હોય, તો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. 

આ પણ વાંચો : ‘તમે કરો છો શું?', SIR મુદ્દે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ 

આતંકવાદી હુમલો અને રાજકીય વિરોધ

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પહેલગામની બેસરન ઘાટીમાં થયેલા પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના પછી દેશમાં ભારે રોષ ફેલાયો હતો અને વિપક્ષી દળોએ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તો સંસદમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ હુમલા બાદ સરકારે કડક પગલાં લીધા હતા, જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી અને ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા કહેવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જોધપુર માટે રવાના થયેલી ફ્લાઈટ મુંબઈ પરત ફરી