દિલ્હી: ભગીરથ પેલેસ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગની 40 ગાડીઓ કાર્યરત
Updated: Nov 25th, 2022
નવી દિલ્હી, તા. 25 નવેમ્બર 2022 શુક્રવાર
દિલ્હીના ચાંદની ચોકમાં ઈલેક્ટ્રોનિક સામાનના હોલસેલ બજાર ભગીરથ પેલેસમાં ગુરૂવારે રાતે ભીષણ આગ પર હજુ સુધી કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. આખી રાત ભીષણ આગ રહી. આગ પર શુક્રવાર સવાર સુધી પણ કાબૂ મેળવી શકાયો નથી.
ગઈકાલે રાતે 9.19 વાગે ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની માહિતી મળી હતી, જે બાદ શરૂઆતમાં 18 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા પરંતુ જ્યારે સ્થિતિ કંટ્રોલમાં ના આવી તો ઘટના સ્થળે 40 ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી. અધિકારીઓએ જણાવ્યુ કે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જોકે આગની ઘટનામાં જાનહાનિની માહિતી નથી. મકાનનો એક મોટો ભાગ ક્ષતિગ્રસ્ત છે. આગે ચાર બિલ્ડીંગને ચપેટમાં લીધી છે. એક બિલ્ડીંગમાં 30થી વધુ દુકાનો છે. આગથી કરોડોના નુકસાનની આશંકા છે. આગ પર કાબૂ મેળવવા લગભગ ફાયર વિભાગની 40 ગાડીઓ કાર્યરત છે.
The situation is not very good as of now. 40 fire tenders are present at the spot. The fire will be brought under control by morning. No casualties have been reported so far. A major part of the building has been damaged: Atul Garg, Delhi Fire Service Director https://t.co/BcU4Qd9wUT pic.twitter.com/yroJhxLzo6
— ANI (@ANI) November 24, 2022