બિહારમાં ભીષણ આગની ઘટના ચાર બાળક સહિત સાતના મોત
Updated: Feb 23rd, 2019
(પીટીઆઈ) બિહાર, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર
બિહારના ગોપાલગંજ જિલ્લાના બખરી ગામમાં ગુરુવારે રાત્રે આગ લાગવાના કારણે એક જ પરિવારના ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. કુચાયકોટ થાણાના બખરી ગામમાં ગુરુવારે રાત્રિના સમયે અચાનક જ એક ઝુંપડીમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બાકીના ત્રણના સારવાર દરમિયાન મોત થયા હતા. ઘરના તમામ સભ્યો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક જ આગ લાગી ગઈ હતી અને તે લોકો આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરે ત્યાં સુધીમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા.
Gujarat