For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નહી ભુલીએ અને નહી માફ કરીએઃ આતંકવાદી હુમલા પર CRPFનુ નિવેદન

Updated: Feb 15th, 2019

નહી ભુલીએ અને નહી માફ કરીએઃ આતંકવાદી હુમલા પર CRPFનુ નિવેદનનવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામામાં આતંકવાદી હુમલામાં પોતાના 38 જવાનો ગુમાવ્યા બાદ સીઆરપીએફ દ્વારા પહેલી વખત ટિપ્પણી કરવામાં આવી છે.

સીઆરપીએફના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ મુકવામાં આવી છે કે, અમે ના તો ભુલીશું અને ના તો માફ કરીશું. અમે પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને નમન કરીએ છે અને અમારા શહીદ ભાઈઓના પરિવારજનોની સાથે છે.આ જઘન્ય કૃત્યનો બદલો લેવાશે.

આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે અમે સુરક્ષાદળોને પૂરી છુટ આપી છે.હું સમજી શકું છું કે લોકોનુ લોહી ઉકળી રહ્યુ છે.

સીઆરપીએફના ટ્વિટ બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળો મોટી કાર્યવાહી કરે તેવા ભણકારા વાગી રહ્યા છે.

Gujarat