દેશની પશ્ચિમ સરહદે વાયુસેનાના 150 જેટલા ફાઈટર પ્લેન્સનો જમાવડો
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં આક્રોશ વચ્ચે ભારતની પશ્ચિમ સરહદે વાયુસેનાના 150 જેટલા ફાઈટર પ્લેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે.
આ વિમાનોમાં જેગુઆરથી લઈને મિરાજ 2000, સુખોઈ-30 અને મીગ 29નો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના પોખરણમાં આજથી શરુ થયેલી વાયુસેનાની વાયુ શક્તિ એક્સરસાઈઝ માટે આ પ્લેન તૈનાત કરાયા છે.પ્લેન્સની સાથે સાથે લડાકુ હેલિકોપ્ટર્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ તેમાં સામેલ થનારા છે.
જેમાં વાયુસેના પોતાની તાકત દેખાડશે.દર વર્ષે વાયુસેના પોતાની તૈયારીઓનુ પ્રદર્શન દેશ સમક્ષ કરવા માટે આ એક્સરસાઈઝનુ આયોજન કરે છે.આ વખતે યોગાનુયોગ આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં ફાટી નિકળેલા રોષ વચ્ચે આ કવાયત યોજાઈ રહી છે.
Gujarat