India

VIDEO: સિક્સર મારતાની સાથે જ આવ્યો હાર્ટ એટેક, મેદાનમાં જ ક્રિકેટરનો ગયો જીવ

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
હરતાં ફરતાં અચાનક કોઈને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ભારતીયોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. બે દિવસ પહેલા અભિનેત્રી શેફાલી જરીવાલાના હૃદયરોગના હુમલાથી મૃત્યુ બાદ આખો દેશ આઘાતમાં આવી ગયો છે. તો હવે પંજાબના ફિરોઝપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. તે કારપેન્ટર તરીકે કામ કરતો હતો અને એક પુત્રનો પિતા હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સિક્સર મારતાની સાથે જ આવ્યો હાર્ટ એટેક, મેદાનમાં જ ક્રિકેટરનો ગયો જીવ

Heart attack: હરતાં ફરતાં અચાનક કોઈને હાર્ટ એટેક આવવાની ઘટનાઓએ ભારતીયોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. બે દિવસ પહેલા અભિનેત્રી શેફાલી જરીવાલાના હૃદયરોગના હુમલાથી મૃત્યુ બાદ આખો દેશ આઘાતમાં આવી ગયો છે. તો હવે પંજાબના ફિરોઝપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. તે કારપેન્ટર તરીકે કામ કરતો હતો અને એક પુત્રનો પિતા હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: એટલા પૈસા નથી કે પાલન કરી શકીએ...', બે દિવસની છોકરીને ફૂટપાથ પર છોડી ગયા મા-બાપ, પત્રમાં વર્ણવી વેદના

49 રન બનાવી અચાનક પીચ પર બેસી ગયો

ફિરોઝપુર જિલ્લાના ગુરુહરસહાયમાં આવેલી DAV સ્કૂલના મેદાનમાં ક્રિકેટ મેચમાં હરજીત સિંહ સવારે બેટિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન તેણે 49 રન કર્યા હતા, ત્યાર બાદ હરજીત સિક્સર ફટકારી અને પછી અચાનક પીચ પર બેસી ગયો અને પછી પીચ પર મોઢું નીચે બેસી ગયો હતો. સાથી ખેલાડીઓએ તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેભાન થઈ ગયો હતો. ખેલાડીઓએ તરત જ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. હરજીતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. શરૂઆતની તપાસમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.


આ પણ વાંચો: પુરી રથયાત્રાઃ નાસભાગની ઘટનામાં સરકારની કડક કાર્યવાહી, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર-SPની બદલી

મિત્રો અને ક્રિકેટ પ્રેમીઓ શોકમાં 

આ ઘટના બાદ શહેરમાં અને ક્રિકેટ પ્રેમીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. હરજીત સિંહ પોતાની સક્રિય જીવનશૈલી અને ક્રિકેટ પ્રત્યે જુસ્સા માટે જાણીતા હતા. હરજીત સિંહના મિત્રોએ કહ્યું કે તે ખૂબ જ સ્વસ્થ હતો અને ક્રિકેટનો શોખીન હતો. આ મેચ દરમિયાન બેટિંગ દરમિયાન આ રીતે દુનિયા છોડી દીધી તે ખૂબ જ દુઃખદ છે.