India

રાજસ્થાનમાં શાળાઓમાં સૂર્ય નમસ્કાર અંગે વિવાદ વધ્યો, મુસ્લિમ સંગઠનો વિરોધમાં ઊતર્યા

By GS Team
31 Jan 20252 mins read
This article was originally published on 31 Jan 2025
TukuTouch Logo
રાજસ્થાન સરકારે સરકારી અને ખાનગી શાળાઓમાં ત્રણ ફેબ્રુઆરીએ સૂર્ય સપ્તમીના અવસરે સૂર્ય નમસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ સૂર્ય નમસ્કાર કરવા પડશે. આ માટે 20 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મુસ્લિમ સંગઠનોએ રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનમાં શાળાઓમાં સૂર્ય નમસ્કાર અંગે વિવાદ વધ્યો, મુસ્લિમ સંગઠનો વિરોધમાં ઊતર્યા

Image: Facebook

Surya Namaskar Controversy in Rajasthan: રાજસ્થાન સરકારે સરકારી અને ખાનગી શાળાઓમાં ત્રણ ફેબ્રુઆરીએ સૂર્ય સપ્તમીના અવસરે સૂર્ય નમસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ સૂર્ય નમસ્કાર કરવા પડશે. આ માટે 20 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મુસ્લિમ સંગઠનોએ રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

મુસ્લિમ સંગઠનોએ વ્યક્ત કર્યો વાંધો

જમાઅતે ઈસ્લામી હિંદ રાજસ્થાન, જમીઅત ઉમલા-એ-હિંદ, ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ, વહદતે ઈસ્લામી હિન્દુ સહિત ઘણા મુસ્લિમ સંગઠનોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિ મોહમ્મદ નિઝામુદ્દીને ગુરુવારે કહ્યું કે ઈસ્લામમાં એકેશ્વરવાદમાં વિશ્વાસ કરવામાં આવે છે. સૂર્યની પૂજા તેમના ધાર્મિક સિદ્ધાંતોના વિરુદ્ધ છે.

વિરોધ કરનારાએ બંધારણની કલમ 25, 26 અને 28 નો હવાલો આપતાં કહ્યું કે સરકારી કે સરકારી મદદ પ્રાપ્ત શિક્ષણ સંસ્થાઓમાં કોઈ સમુદાય વિશેષ કે ધર્મ સાથે જોડાયેલા આદેશ આપી શકાય નહીં. સાથે જ કોઈ વિદ્યાર્થીને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બાધ્ય કરી શકાય નહીં. 

આ પણ વાંચો: 'અમારા હક શિંદેને આપી દીધા, 'નકલી શિવસેના'ને ભાજપે સમર્થન કર્યું...', સંજય રાઉતનું મોટું નિવેદન

સંગઠનોનું કહેવું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે

આ સંગઠનોનું કહેવું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, જ્યાં દરેક નાગરિકને પોતાની પસંદનો ધર્મ પસંદ કરવા અને તેનું પાલન કરવાની સ્વતંત્રતા છે. સરકારી તંત્ર દ્વારા સૂર્ય નમસ્કારના નામ પર હિન્દુ ધર્મની માન્યતાઓને અન્ય ધર્મના લોકો પર થોપવામાં આવી રહી છે. આ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

શિક્ષણ મંત્રીએ સૂર્ય નમસ્કાર કરવાના આદેશ આપ્યા

ઉલ્લેખનીય છેકે શિક્ષણમંત્રી મદન દિલાવરે ગત દિવસોમાં વિભાગીય અધિકારીઓની બેઠક લઈને તમામ સરકારી અને ખાનગી સ્કુલોમાં સૂર્ય સપ્તમીના દિવસે 20 મિનિટ સુધી ફરજિયાતપણે સૂર્ય નમસ્કાર કરવાના આદેશ આપ્યા છે.