For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક સામે ક્રિકેટ મેચ રમવા અંગે કોંગી નેતાઓમાં ભાગલા, આપ્યા આવા વિરોધભાસી નિવેદન

Updated: Feb 22nd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવુ જોઈએ કે નહી તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાઓની અલગ અલગ વિચારણ સરણી સામે આવી રહી છે. 

કોંગી નેતા મનીષ તિવારીએ કહ્યુ હતુ કે જ્યાં સુધી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓ ભારત સામે આતંકવાદને પ્રોત્સાહન આપતા રહેશે ત્યાં સુધી ક્રિકેટ સબંધો રાખવા જોઈએ નહી.

જોકે કોંગ્રેસના અન્ય એક નેતા શશી થરુરે અલગ અભિપ્રાય આપ્યો છે.આ મુદ્દે થરુરે કહ્યુ હતુ કે જ્યારે કારગીલ યુધ્ધ ચાલુ હતુ ત્યારે પણ વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે મેચ રમ્યુ હતુ.ભારતે આગામી વર્લ્ડ કપમાં પણ મેચ રમીને પાકિસ્તાનને હરાવુ જોઈએ.જો ભારત મેચ નહી રમે તો તે શરણાગતિ સ્વીકારવા કરતા પણ ખરાબ સ્થિતિ હશે.

Gujarat