રફાલ સોદાની ફાઇલો ખુલી જ નથી તો સરકારને ક્લિનચિટ ક્યાંથી મળે ? : કોંગ્રેસ
રફાલ સોદામાં ભ્રષ્ટાચાર નથી થયો તેવુ સુપ્રીમે કહ્યું જ નથી, રફાલ મુદ્દે સુપ્રીમમાં જુઠ કેમ બોલ્યા, પીએસી સમક્ષ હાજર થઇને જવાબ આપો : સિબ્બલ
દુર દુર સુધી કોંગ્રેસ નહીં દેખાયના દાવા કરનારા અમિત શાહને અમે દુરબીન મોકલીશું : કોંગ્રેસનો ટોણો
Updated: Dec 15th, 2018
નવી દિલ્હી, તા. ૧૫
કોંગ્રેસે
સાથે માગણી કરી હતી કે સંસદીય સમિતિ સમક્ષ એટર્ની જનરલને બોલાવવામાં આવે અને તેને
પૂછવામાં આવે કે રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેમ જુઠુ સોગંદનામુ અને વિગતો આપી? આ એક અતી ગંભીર મામલો
છે. આ મામલે સંસદમાં પણ ચર્ચા કરવામાં આવશે. એટર્ની જનરલે આવુ કેમ કર્યું? કોંગ્રેસે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યંુ કે ચૂંટણીના
પરીણામો આવી ગયા છે તેથી હવે અમે અમિત શાહને દુરબીન મોકલીશું. અમિત શાહે ચૂંટણીના
પરીણામો પહેલા દાવો કર્યો હતો કે કોંગ્રેસ નહીં જીતે અને દેશમાં દુરબીનથી જોશો તો
પણ નહીં દેખાય. કોંગ્રેસની ત્રણ રાજ્યોમાં એક સાથે જીત બાદ હવે અમિત શાહને દુરબીન
મોકલવાની જાહેરાત કબિલ સિબ્બલે કરી હતી.
તો
પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે વર્તમાન નાણા પ્રધાન અરુણ જેટલીને ઘેર્યા હતા અને
જણાવ્યું હતું કે અરુણ જેટલી કહે છે કે અગાઉની યુપીએ સરકાર કરતા વર્તમાન એનડીએ સરકારે
વધુ સસ્તા ભાવે રફાલ વિમાન ખરીધ્યા છે. જો ખરેખર આવુ હોય તો પછી વર્તમાન સરકાર ઓછા
રફાલ વિમાન કેમ ખરીદી રહી છે?
કેમ ૧૨૬ને બદલે માત્ર ૩૬ જ રફાલ વિમાન ખરીદી રહ્યા છો? નોંધનીય છે કે કોંગ્રેસ આરોપો લગાવે છે કે ૫૦૦ કરોડનું રફાલ સરકાર ૧૬૦૦
કરોડમાં ખરીદી રહી છે.