દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhattisgarh Encounter : દંતેવાડા અને બીજાપુરની સરહદને જોડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે 12 માઓવાદીઓને ઠાર કર્યા છે. જોકે આ એન્કાઉન્ટરમાં DRGના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સર્ચ કરી રહેલી ટીમ પર નક્સલીઓનું આડેધડ ફાયરિંગ
બસ્તર આઇજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરુ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં પ્રધાન આરક્ષક મોનુ વડાડી, આરક્ષક દુકારુ ગોંડે અને જવાન રમેશ સોડીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો 'ખેલ' કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ
હથિયારો-દારુગોળો જપ્ત
અથડામણ સ્થળેથી એએલઆર રાઇફલ, પોઇન્ટ 303 રાઇફલ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં જંગલમાં મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઠાર કરાયેલા નક્સલવાદીઓની સંખ્યા વધવાની શક્યતા છે.








