UP સરકારમાં કેબિનેટમંત્રી ઓમપ્રકાશ રાજભરે મંત્રાલય છોડ્યુ, પોતાના દમ પર લડશે ચૂંટણી
Updated: Feb 14th, 2019
લખનૌ, તા. 14 ફેબ્રુઆરી 2019, ગુરુવાર
પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા અને ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે પોતાનું મંત્રાલય છોડી દીધું છે. તેઓ પછાત વર્ગ અને દિવ્યાંગ કલ્યાણમંત્રી હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે 13 રાજ્યોમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી.
તેમણે કહ્યું કે, સરકારમાં તેમની જે માંગ હતી તેને માનવામાં આવી નથી. તેવામાં આ પદ પર રહેવાનો કોઇ મતલબ રહ્યો નહોતો.
Gujarat