India

રામ મંદિરમાં અંદાજ કરતા પણ મોટી દાન ચોરી? મંદિર નિર્માણ પહેલા માસ્ટર માઈન્ડે કર્યો હતો 'ખેલ'

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીનો પર્દાફાશ થયો છે. અનુકલ્પ મિશ્રા નામના માસ્ટરમાઇન્ડ અને તેના સાથીઓએ લાંબા સમયથી શ્રદ્ધાળુઓના દાન પર હાથ સાફ કર્યા હતા. SBI દ્વારા કેશ મેનેજમેન્ટની વ્યવસ્થા શરૂ થઈ તે પહેલાં જ આ ગેંગ સક્રિય હતી. પ્રાણપ્રતિષ્ઠા પૂર્વેથી જ અનુકલ્પ મંદિરની વ્યવસ્થામાં સામેલ થઈ ગયો હતો. આ કૌભાંડમાં ઘણા લોકોની સંડોવણી સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિરમાં અંદાજ કરતા પણ મોટી દાન ચોરી? મંદિર નિર્માણ પહેલા માસ્ટર માઈન્ડે કર્યો હતો 'ખેલ'

Ram Mandir Donation Row: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની આશંકાઓ ધારણા કરતાં ક્યાંય વધુ મોટી હોઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલી વિગતો પ્રમાણે દાનની ચોરીનો આ સિલસિલો ગત વર્ષની શરૂઆતમાં શ્રદ્ધાળુઓની ભીડ વધ્યા બાદ શરૂ થયો હતો. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાતો અનુકલ્પ મિશ્રા જ્યારે રામ મંદિરની વ્યવસ્થામાં સામેલ થયો, ત્યારથી જ આ ચોરીની શરૂઆત થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

રામ મંદિરમાં અંદાજ કરતા પણ મોટી દાન ચોરી?

સામાન્ય અંદાજ એ છે કે, અનુકલ્પ મિશ્ર અને તેની સાથે દાન ચોરીના મામલે આરોપી અન્ય લોક શ્રદ્ધાળુઓની ભીડની સાથે દાન પણ વધવાના કારણે કેશ મેનેજમેન્ટના નવા મેનેજમેન્ટ હેઠળ રામ મંદિરની વ્યવસ્થા સાથે જોડાયા. જોકે, સત્ય એ છે કે, અનુકલ્પ 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે જ મંદિરની વ્યવસ્થા સાથે જોડાઈ ગયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અનુકલ્પ રામ મંદિરના શિખર પર ધ્વજારોહણની વિધિ, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી અને દીપોત્સવા જેવા અતિ મહત્વના ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય સહયોગી તરીકે સામેલ થવા લાગ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, પોતાના મલિન ઈરાદાઓ અને સ્વભાવને અનુરૂપ અનુકલ્પે તે સમયથી જ રામજન્મભૂમિ પરિસરમાં પોતાના કાળા કારનામાઓ આચરવા માટેની તકો શોધવાનું શરૂ કરી દીધું હતું.

પોતાના સાથીઓને પણ કેશ મેનેજમેન્ટના કામમાં ગોઠવી દીધા

રામ મંદિર પરિસરમાં પોતાનો પ્રભાવ સતત વધવાની સાથે જ અનુકલ્પ મિશ્રાએ મંદિરની વ્યવસ્થામાં અવિનાશ, લવકુશ મિશ્રા, રમાશંકર મિશ્રા અને કરુણેશ પાંડેને પણ સામેલ કરી દીધા હતા. ત્યારબાદ, જ્યારે કેશ મેનેજમેન્ટ માટે SBI દ્વારા હાયર કરવામાં આવેલી પ્રાઇવેટ એજન્સી સાથે જોડાવાની તક મળી, ત્યારે અનુકલ્પને પોતાનો મનસૂબો પૂરો થતો દેખાયો અને તેણે પોતાના સાથીઓને પણ કેશ મેનેજમેન્ટના કામમાં ગોઠવી દીધા હતા.

બીજી તરફ, ટિન્નુ યાદવ રામ મંદિર ટ્રસ્ટના ચંપતરાય સાથેની નિકટતાનો ફાયદો ઉઠાવીને કેશ મેનેજમેન્ટ અને ચઢાવાની ગણતરીમાં પહેલેથી જ નિર્ણાયક ભૂમિકામાં આવી ગયો હતો. ત્યારબાદ તેણે ગણતરીના દિવસોમાં જ પોતાના ભત્રીજા મનીષને પણ આ કામમાં લગાડી દીધો હતો. જ્યારે આ સમગ્ર મામલામાં આરોપી સુભાષ શ્રીવાસ્તવને ડૉ. અનિલ મિશ્રાની ભલામણથી કામ પર રાખવામાં આવ્યો હતો.

જો કે, કેશ મેનેજમેન્ટ માટે કર્મચારીઓની નિમણૂક કરવાનો અધિકાર SBI પાસે હતો, પરંતુ તે સમયે બેન્ક પાસે પૂરતો મેનપાવર ઉપલબ્ધ નહોતો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ટ્રસ્ટના અધિકારીઓની ભલામણ અને સૂચન પર રામ મંદિર સાથે જોડાયેલા કથિત સ્વયંસેવકોને કેશ મેનેજમેન્ટની આ મહત્વની કામગીરી સોંપી દેવામાં આવી હતી.

ઘણા સમય પહેલાંથી જ અનુકલ્પની ગેંગ રામલલાના દાન પર હાથ સાફ કરવા લાગી હતી

રામજન્મભૂમિ પરિસરની વ્યવસ્થા સાથે જોડાયેલા સમીક્ષકોનું માનવું છે કે, SBIના સંયોજન હેઠળ ગત વર્ષે કેશ મેનેજમેન્ટની વ્યવસ્થા શરૂ થઈ, તેના ઘણા સમય પહેલાંથી જ અનુકલ્પની ગેંગ રામલલાના દાન પર હાથ સાફ કરવા લાગી હતી.