અવમાનના કેસમાં અનિલ અંબાણી દોષી કરાર, એરિક્સનને 453 કરોડ રૂપિયા આપવા પડશે
Updated: Feb 20th, 2019
નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2019 બુધવાર
સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને દોષી કરાર કર્યા છે. એરિક્સનની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. કોર્ટે કહ્યુ કે અંબાણીએ ચાર અઠવાડિયાની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયા આપવા પડશે. નક્કી સમયમાં આ રકમ આપવામાં આવી નહીં તો તે બાદ ત્રણ મહિનાની જેલ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી એરિક્સન ઈન્ડિયા તરફથી દાખલ કરવામાં આવેલી કોર્ટની અવમાનના સંબંધી અરજીના મામલે 12 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયા હતા. એરિક્શનનો આરોપ છે કે આરકૉમે રિલાયન્સ જીયોએ પોતાની સંપત્તિ વેચવા છતાં પણ અત્યાર સુધી તેમનો 550 કરોડ રૂપિયા ભોગવવા પડ્યા નહીં. સુપ્રીમ કોર્ટ તરફથી 23 ઓક્ટોબરે આપવામાં આવેલા આદેશમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સને એરિક્સન ઈન્ડિયાને 15 ડિસેમ્બર સુધી ક્લીયર કરવા માટે કહ્યુ હતુ. સાથે જ મોડાઈમાં થયેલી ચૂકવણી પર 12 ટકાના દરથી વ્યાજ આપવાની વાત કહી હતી.
રિલાયન્સ તરફથી નક્કી તારીખે ચૂકવણી ના કરવા પર એરિક્સને સુપ્રીમ કોર્ટને કહ્યુ, ન્યાયાલયના ધ્યાનમાં લેવામાં આવી રહ્યુ છે કે પ્રતિવાદીએ આદેશ અનુસાર 550 કરોડ રૂપિયાની ચૂકવણી કરી નથી. એરિક્સન તરફથી આપવામાં આવેલી અરજીમાં અનિલ અંબાણી અને બે અન્ય વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની સાથે જ તેમને ચૂકવણી કરવા સુધી સિવિલ જેલમાં રાખવાની માગ કરી હતી.