'લીંબુ-મરચાં ક્યારે હટાવશો...' કોંગ્રેસ નેતાએ રાફેલનું રમકડું બતાવી સવાલ કરતા ભાજપ ભડક્યું
Ajay Rai on Rafale Jet: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયે રાફેલ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
અજય રાયે રાફેલનું રમકડું બતાવી સવાલ કર્યા
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયે પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારની કથિત નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટને 'રમકડું' ગણાવ્યું હતું અને
કહ્યું, 'સરકારે રાફેલ ફાઇટર જેટને એરપોર્ટ પર લીંબુ અને મરચાં લટકાવીને પાર્ક કર્યા છે. આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે, પરંતુ આ વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો નથી. સરકાર ફક્ત મોટી મોટી વાતો કરે છે.'
UP कांग्रेस अध्यक्ष अजय राय ने @kashikirai
— ANIL (@AnilYadavmedia1) May 5, 2025
मोदी सरकार पर कटाक्ष किया है कि,
पहलगाम हमले का अभी तक बदला नहीं लिया गया है,
क्या राफेल और सुखोई निम्बू मिर्ची लटकाने के लिए खरीदे गए हैँ,
ये देश की भावना है,
पूरा देश पाकिस्तान से बदला चाहता है,
लेकिन पाकिस्तान को सबक सिखाने की जगह… pic.twitter.com/JojWRaXAxu
ભાજપે આપી પ્રતિક્રિયા
અજય રાયના આ નિવેદન પર ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, 'અજય રાયે રાફેલને રમકડું કહીને દેશની સેનાનું અપમાન કર્યું છે. આ નિવેદન રાહુલ ગાંધીના નિર્દેશ પર આપવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા તેનો ઉપયોગ પ્રચાર માટે કરી રહ્યું છે.'
શિવસેનાના નેતા શૈના એનસીએ કહ્યું, 'કોંગ્રેસ પાર્ટી અને અજય રાય મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. જ્યારે તેમને કોઈ પણ સરકાર પર વિશ્વાસ નથી હોતો, ત્યારે તે કોઈપણ હદ વટાવી શકે છે. જ્યારે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપશે, ત્યારે તેઓ તેમના મોં બંધ કરી દેશે. ત્યાં સુધી તેમને રમકડાં સાથે રમવા દો અને આપણે અમારું કામ કરતા રહીશું.'
કોંગ્રેસનો ખુલાસો
અજય રાયના નિવેદન પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, 'કોંગ્રેસ પાર્ટીએ CWCમાં નિવેદન આપ્યું હતું અને અમે બધા તે નિવેદન પર અડગ છીએ અને આ કોંગ્રેસનું સત્તાવાર નિવેદન છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે અમે સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાને સમર્થન આપીએ છીએ; હકીકતમાં, અમે સરકારને ખૂબ જ નિર્ણાયક, મજબૂત પગલાં લેવા અને તે ઝડપથી કરવા વિનંતી કરીએ છીએ.'
22 એપ્રિલે પહલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલામાં, 27 પ્રવાસીઓ, જેમાંથી મોટાભાગના હિન્દુ હતા. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) આ હુમલામાં સામેલ હતું. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણી કડક કાર્યવાહી કરી છે અને મોટા સૈન્ય કાર્યવાહીના સંકેત આપ્યા છે. આવી સ્થિતિમાં, રાફેલ પર અજય રાયનું નિવેદન ભારતમાં માત્ર વિવાદનું કારણ બન્યું જ નહીં, પરંતુ પાકિસ્તાની મીડિયાએ પણ તેનો ઉપયોગ પ્રોપગેંડા તરીકે કર્યો.