Get The App

ઇન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો 1 - image


Railway Loco Pilots Working Hours Issue: ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલટ્સના થાક અને લાંબા કામના કલાકોને કારણે સર્જાયેલા સંકટ બાદ હવે ભારતીય રેલવેના લોકો પાયલટ્સે પણ સમાન મુદ્દો ઉઠાવ્યો છે. ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ ઍસોસિયેશને(AILRSA) ચેતવણી આપી છે કે થાકેલા લોકો પાયલટને ટ્રેન ચલાવવા દેવાથી મોટી જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થઈ શકે છે.

રેલવેમાં પણ 'ક્રૂ થાક'ની સમસ્યા

AILRSAએ ઇન્ડિગો વિવાદમાં કેન્દ્ર સરકારના ઉદાર વલણની ટીકા કરી છે, જ્યારે સરકારી કર્મચારીઓના આંદોલનો સામે કડક વલણ અપનાવવામાં આવે છે. ઍસોસિયેશન અનુસાર, ઇન્ડિગોમાં જે સમસ્યા સર્જાઈ તે જ લાંબા સમયથી ભારતીય રેલવેમાં લોકો પાયલટ્સ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યા છે. જ્યારે મોટી ખાનગી કંપનીઓ સલામતી નિયમોનો વિરોધ કરે છે, ત્યારે સરકાર તેમના આદેશો સમક્ષ શરણાગતિ સ્વીકારે છે, સિસ્ટમની સુરક્ષાને પણ અવગણીને. આનાથી વિપરીત, સરકારી ક્ષેત્ર પર તમામ પ્રકારના કાળા નિયમો લાદવામાં આવે છે.

આ પણ વાંચો: બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ

લોકો પાયલટ્સની મુખ્ય માંગણીઓ

ઍસોસિયેશન અનુસાર, ખાસ કરીને વિશ્વભરના સલામતીના નિયમોના આધારે ઍસોસિયેશને તાત્કાલિક ધોરણે FRMS (Fatigue Risk Management System) આધારિત કામના કલાકોની સિસ્ટમ અપનાવવાની માંગ કરી છે. જેમાં દૈનિક મર્યાદા છ કલાક હોય. વધુમાં તેણે દરેક ડ્યુટી શિફ્ટ પછી 16 કલાકનો નિર્ધારિત આરામ સમયગાળો અને દૈનિક આરામ સમયગાળા ઉપરાંત સાપ્તાહિક આરામ સમયગાળો પણ માંગ્યો હતો. ભારતીય રેલવેમાં દરરોજ 2 કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જે ક્યારેક તહેવારો અથવા પીક સીઝન દરમિયાન 3 કરોડ સુધી પહોંચે છે. તેથી, થાકેલા લોકો પાઇલટ્સ ટ્રેનો ચલાવવી ચોક્કસપણે મુસાફરોના જીવન માટે ખતરો છે.

આ ઉપરાંત ઍસોસિયેશને યુરોપિયન યુનિયન, અમેરિકન અને કેનેડિયન રેલવેના ઉદાહરણો આપ્યા છે, જ્યાં કામ અને આરામની મર્યાદાઓનું કડક પાલન થાય છે.

સુરક્ષા સામે જોખમ

ભારતીય રેલવેમાં દરરોજ 2 કરોડથી વધુ અને પીક સીઝન દરમિયાન 3 કરોડ સુધીના મુસાફરો મુસાફરી કરે છે. થાકેલા લોકો પાયલટ્સ દ્વારા ટ્રેનોનું સંચાલન ચોક્કસપણે મુસાફરોના જીવન માટે જોખમ ઊભું કરે છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં લોકો પાયલટ્સે સતત લાંબા સમય સુધી કામ કરવાના કારણે બે ટ્રેન વચ્ચે જ છોડી દીધી હતી. મહાકુંભ મેળા દરમિયાન એક લોકો પાયલટે 16 કલાક સતત ડ્યુટી પર હોવાનો દાવો કરીને સ્પેશિયલ ટ્રેન છોડી દીધી હતી.

AILRSA એ સરકારને વિનંતી કરી છે કે તે માત્ર ઇન્ડિગો જ નહીં, પરંતુ રેલવેની આ ગંભીર સમસ્યા પર પણ ધ્યાન આપે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે.

Tags :