For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગોરવાના ફ્લેટમાં ત્રાટકેલા ચોરો 20 તોલાથી વધુ દાગીના ચોરી ગયા

Updated: Apr 29th, 2024

ગોરવાના ફ્લેટમાં ત્રાટકેલા ચોરો 20 તોલાથી વધુ દાગીના ચોરી ગયાવડોદરાઃ ચોરોને બંધ મકાનની જાણ કેવી રીતે થાય છે તે પણ પોલીસ માટે તપાસનો મુદ્દો છે.ગોરવાનું એક પરિવાર  બહારગામ જતાં જ તેમના ફ્લેટનું તાળું તોડીને ચોરો ૨૦તોલાથી વધુ દાગીના ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે.

ગોરવા વર્કશોપ પાસે સિતારામ કોમ્પ્લેક્સમાં રહેતા ઉદયકુમાર શાહે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૫મીએ અમે મહાબળેશ્વર ગયા હતા ત્યારે તા.૨૮મીએ પાડોશીએ મકાનનો નકૂચો તૂટયો હોવાની જાણ કરતાં અમે પરત ફર્યા હતા.

તપાસ કરતાં ચોરોએ તિજોરી સહિતનો સામાન રફેદફે કરી સોનાના ૨૦ તોલાથી વધુ દાગીના અને ચાંદીના દાગીના મળી અંદાજે રૃ.૧૦ લાખ જેટલી મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી ગોરવા પોલીસે ગુનો  નોંધી તપાસ હાથ ધરી છે.

Gujarat