For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલોલના છત્રાલમાં મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4.53 લાખની મતા ચોરાઇ

Updated: Apr 27th, 2024

કલોલના છત્રાલમાં મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4.53 લાખની મતા ચોરાઇ

રોકડ ૪૭ હજારસોના-ચાંદીના દાગીના ઉઠાવીને તસ્કરો પલાયન

કલોલ : કલોલ તાલુકાના છત્રાલ ગામે અલસફા સોસાયટીમાં ત્રાટકેલા તસ્તરો બંધ મકાનનું તાળું તોડી અંદરથી રૃપિયા ૪,૫૩,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવ  અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કલોલ તાલુકાના છત્રાલ ગામે  અલ સિફા સોસાયટીમાં રહેતા સદ્દામભાઈ ગોહર અલી મણિયાર પોતાનું મકાન બંધ કરીને બહારગામ ગયા હતા ત્યારે બંધ મકાનનો લાભ ઉઠાવતા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડયું હતું અને અંદર પ્રવેશ્યા હતા તસ્કરોએ ઘરમાં પડેલી પેટી પલંગની અંદર કપડામાં મુકેલ થેલીમાંથી રોકડા રૃપિયા ૪૭ હજાર તથા સોનાના ત્રણ સેટ કિંમત રૃપિયા ૩,૬૯,૦૦૦ તથા સોનાની અડધા તોલા વજનની કાનની બુટ્ટીઓ કિંમત રૃપિયા ૩૦,૦૦૦ તેમજ ચાંદીની પાયલ કિંમત રૃપિયા ૭૫૦૦ મળી કુલ રૃપિયા ૪,૫૩,૫૦૦ ના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવ  અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat