For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના : અમદાવાદ ગ્રામ્યમાં 12 નવા કેસ, 2 વ્યક્તિના મોત

- ધોળકામાં સૌથી વધુ 6 નવા કેસ

- અમદાવાદ ગ્રામ્યમાં કુલ કેસનો આંક 251ને પાર : ધોળકા-દસક્રોઇમાં સૌથી વધુ 88 કેસ

Updated: Jun 2nd, 2020

Article Content Imageઅમદાવાદ,મંગળવાર

અમદાવાદ ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ ગ્રામયમાં કોરોનાના ૧૨ નવા કેસ નોંધાયા છે અને બેના મૃત્યુ થયા છે.

અમદાવાદ ગ્રામ્યમાંથી આજે ધોળકામાં કોરોનાના સૌથી વધુ ૬ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ધોળકામાં કુલ કેસનો આંક ૮૮ થઇ ગયો છે. આ ઉપરાંત સાણંદ-વિરમગામમાં કોરોનાના ૨-૨ જ્યારે દસક્રોઇ-બાવળામાં ૧-૧ કેસ નોંધાયા હતા. આમ, અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨૫૧ થઇ ગયો છે. જેમાં દસક્રોઇમાં ૮૮, સાણંદમાં ૩૨, બાવળા-વિરમગામમાં ૧૩-૧૩, ધંધુકામાં ૧૦, માંડલ-દેત્રોજમાં ૩-૩ અને ધોલેરામાં ૧ કેસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેની સાથે જ અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક ૧૬ થયો છે. અત્યારસુધી કોરોનાના ૨૫૧ દર્દીમાંથી ૧૫૧ને ડિસ્ચાર્જ અપાયો છે જ્યારે ૬૩ કેસ એક્ટિવ છે. કુલ ૪૯૭૨ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.

 

Gujarat