Jamnagar

જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં વીજ શોક લાગતાં 22 વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં 22 વર્ષીય કૌશલ ઢાપાનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું હતું. ગત 8 ઓગસ્ટે સાંજે કૌશલ પોતાની નાળિયેરની રેકડીમાં ડ્રિલ મશીનથી હોલ પાડી રહ્યા હતા. તે સમયે અચાનક વીજ શોક લાગતા તેઓ બેભાન થઈ ગયા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું. સિટી-એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં વીજ શોક લાગતાં 22 વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

Jamnagar News : જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં ડ્રિલ મશીનથી નાળિયેરની રેકડીમાં હોલ પાડતી વેળાએ વીજ શોક લાગતાં 22 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું.
પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, ચુનાના ભઠ્ઠા, ઢોલીયાપીરની દરગાહ સામે રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા કૌશલ રવજીભાઈ ઢાપા (ઉ.વ.22) મજૂરી કામ કરતા હતા. ગત તા.8 ઓગસ્ટના સાંજના સમયે તેઓ પોતાના ઘરે નાળિયેરની રેકડીમાં હોલ પાડવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા.
દરમિયાન ડ્રિલ મશીનની સ્વીચ ચાલુ કરતાં અચાનક વીજ શોક લાગતાં કૌશલભાઈ નીચે પડી ગયા હતા અને કોઈ પ્રતિક્રિયા આપતા ન હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના પિતા રવજીભાઈ મગનભાઈ ઢાપાએ પોલીસમાં જાણ કરી હતી. સીટી-એ ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.