જામનગરમાં રામ સવારી દરમિયાન અંતિમયાત્રા પસાર થતાં ડીજે સાઉન્ડ બંધ કરી સન્માન જનક રામ સવારી રોકી રખાઈ
Updated: Apr 18th, 2024
Ramnavmi Jamnagar : જામનગરમાં ગઈકાલે રામ સવારીનું આયોજન થયું હતું, જે દરમિયાન હવાઈચોક વિસ્તારમાંથી એક અંતિમયાત્રા પસાર થતાં હવાઈ ચોક વિસ્તારમાં શોભાયાત્રાને એક સાઇડમાં રોકી દેવાઈ હતી, અને સૌ પ્રથમ સ્મશાન યાત્રાને રસ્તો કરી આપવામાં આવ્યો હતો, અને મૃત્યુનો મલાજો જળવાયો હતો.
શોભાયાત્રા હવાઈ ચોકથી સેન્ટ્રલ બેન્ક તરફ જઈ રહી હતી, જે દરમિયાન પાછળથી એક અંતિમ યાત્રાની બસ આવી પહોંચતાં શોભાયાત્રાણા સંચાલકો દ્વારા રસ્તો કરીને શોભાયાત્રાને થંભાવી દેવામાં આવી હતી, અને અંતિમ રથને જવા માટે સૌપ્રથમ રસ્તો કરાયો હતો. ઉપરાંત શોભાયાત્રામાં વાગતા ડી.જે.ના સાઉન્ડ બંધ કરીને તમામ રામભક્તોએ બે મિનિટ માટેનું મૌન પાડી સ્મશાન યાત્રાને પસાર થવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Gujarat