સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fire Breaks Out In Riyadh Sofa Factory: સાઉદી અરબમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. સાઉદી અરબના રિયાધ સ્થિત મૂસા સનૈયા વિસ્તારમાં એક સોફા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ભીષણ આગમાં 16 બાંગ્લાદેશી શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. સોમવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતા મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી છે.
મંત્રાલયનું સત્તાવાર નિવેદન
મંત્રાલયે રવિવારે બનેલી આ ઘટના અંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ નુકસાનની આ મુશ્કેલ ઘડીમાં મૃતકોના પરિવારોને સંપૂર્ણ સહયોગ અને એકજૂથતાનું આશ્વાસન આપ્યું છે. તેમાં વધુમાં કહ્યું કે, તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી અને આ ભરપાઈ ન થઈ શકે તેવી ક્ષતિ તેમજ દુઃખની ઘડીમાં તેમની સાથે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી.
વિકરાળ આગે આખી ફેક્ટરીને લપેટમાં લીધી
રિપોર્ટ્સ પ્રમાણે આ આગ સ્થાનિક સમય પ્રમાણે રવિવારે બપોરે આશરે 3:30 વાગ્યે રિયાધના ખોરદમ શહેરમાં આવેલી સોફા ફેક્ટરીમાં લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
મંત્રાલયે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ રિયાધ સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ પીડિતોની ઓળખ કરવા અને મૃતદેહોને સ્વદેશ મોકલવાની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સાઉદી અધિકારીઓ સાથે સતત સંકલન કરી રહ્યા છે. દૂતાવાસ આ ઘટના અંગે વિગતવાર માહિતી મેળવવા અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવાનું પણ કામ કરી રહ્યું છે.









