World

યુએઇથી ખાલિસ્તાની આતંકી પરમિંદર સિંહ પિંડીને ભારત લવાઈ રહ્યો છે, અનેક હુમલામાં હતો સામેલ

By GS TEAM
27 Sep 20252 mins read
TukuTouch Logo
પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના આતંકવાદી પરમિન્દર સિંહ પિંડીના પ્રત્યાર્પણ કરવામાં મોટી સફળતા મેળવી છે. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ થઈ રહી છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે શનિવારે (27 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, પિંડી વિદેશ સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંદા અને હેપ્પી પાસિયાનો નજીકનો સાથી છે અને બટાલા-ગુરદાસપુર વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ હુમલા, હિંસક હુમલા અને ખંડણી સહિતના અનેક જઘન્ય ગુનાઓમાં સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુએઇથી ખાલિસ્તાની આતંકી પરમિંદર સિંહ પિંડીને ભારત લવાઈ રહ્યો છે, અનેક હુમલામાં હતો સામેલ
Image: @@DGPPunjabPolice










Parmider Singh Pindi: પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના આતંકવાદી પરમિન્દર સિંહ પિંડીના પ્રત્યાર્પણ કરવામાં મોટી સફળતા મેળવી છે. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ થઈ રહી છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે શનિવારે (27 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, પિંડી વિદેશ સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંદા અને હેપ્પી પાસિયાનો નજીકનો સાથી છે અને બટાલા-ગુરદાસપુર વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ હુમલા, હિંસક હુમલા અને ખંડણી સહિતના અનેક જઘન્ય ગુનાઓમાં સામેલ છે.

આ પણ વાંચોઃ VIDEO: ટ્રમ્પ અને પત્ની મેલેનિયા વચ્ચે ઝઘડો? હેલિકોપ્ટરમાં આંગળી બતાવતો વીડિયો વાઈરલ, લિપ રીડર્સે કરી સ્પષ્ટતા

રેડ કોર્નર નોટિસ પર કરાઈ કાર્યવાહી

ડીજીપી યાદવે જણાવ્યું હતું કે, બટાલા પોલીસ દ્વારા અનુરોધિત રેડ કોર્નર નોટિસ (RCN) પર તાત્કાલિક કાર્યવાહી કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીની આગેવાની હેઠળ એક સમર્પિત ચાર સભ્યોની ટીમ 24 સપ્ટેમ્બર, 2024ના રોજ યુએઈ ગઈ હતી. વિદેશ મંત્રાલય અને યુએઈના અધિકારીઓ સાથે સંકલન કરીને, તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી અને આરોપીને સફળતાપૂર્વક ન્યાયના કઠેડામાં પાછો લાવવામાં આવ્યો હતો. આ સફળ પ્રત્યાર્પણ પંજાબ પોલીસની આતંકવાદ અને સંગઠિત ગુના પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા નીતિ તેમજ તેની અદ્યતન તપાસ ક્ષમતાઓ અને વૈશ્વિક પહોંચ પર ભાર મૂકે છે.

દિલ્હીને ખાલિસ્તાન બનાવવાની આપી ધમકી

ગત વર્ષે કેનેડામાં એક હિન્દુ મંદિર પર થયેલા હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા ઈન્દરજીત સિંહ ગોસાલને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે પન્નુને ટેકો આપતા એક વીડિયોમાં દિલ્હીને ખાલિસ્તાનમાં ફેરવવા અંગે વાહિયાત નિવેદનો આપ્યા હતા. પન્નુએ પણ ડોવાલ સામે આવી જ ધમકીઓ આપી હતી.

આ પણ વાંચોઃ ફિટકાર બાદ NATO ચીફના સુર બદલાયા, કહ્યું - 'અમે ભારતને ગુમાવ્યો નથી પરંતુ સંબંધ..'

પન્નુ અમેરિકામાં રહે છે. વોશિંગ્ટનથી એક વીડિયો સંબોધનમાં, પન્નુએ દિલ્હીના લાલ કિલ્લા પર મોદીને તિરંગો ફરકાવતા અટકાવનારા 'શીખ સૈનિકો' માટે 11 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું. આ મામલે પન્નુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.