World

ટ્રમ્પ અને પુતિનની મુલાકાતને ભારતે આવકારી, કહ્યું- વાતચીતથી જ શાંતિનો રસ્તો નીકળશે

By GS TEAM
16 Aug 20252 mins read
TukuTouch Logo
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અલાસ્કામાં અમેરિકા અને રશિયા વચ્ચે શિખર સંમેલનનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની આ પહેલ વૈશ્વિક શાંતિ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ અને પુતિનની મુલાકાતને ભારતે આવકારી, કહ્યું- વાતચીતથી જ શાંતિનો રસ્તો નીકળશે
Image Source: IANS

Russia Ukraine War: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અલાસ્કામાં અમેરિકા અને રશિયા વચ્ચે શિખર સંમેલનનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની આ પહેલ વૈશ્વિક શાંતિ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જયસ્વાલે કહ્યું કે, ભારત આ સંવાદમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરે છે અને માને છે કે આગળનો માર્ગ ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શોધી શકાય છે.

રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, હાલમાં આખું વિશ્વ યુક્રેન યુદ્ધ પર નજર રાખી રહ્યું છે અને દરેક ઇચ્છે છે કે આ સંઘર્ષ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. જયસ્વાલે સ્પષ્ટતા કરી કે ભારત હંમેશા એવી નીતિ ધરાવે છે કે યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે વાતચીત અને પરસ્પર સમજણ શાંતિનું સૌથી મોટું માધ્યમ છે.

આ પણ વાંચો: 'અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર', ઝેલેન્સ્કીએ ટ્રમ્પના પ્રસ્તાવને આપ્યો ટેકો

દુનિયાની નજર વાતચીત પર

અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની શિખર સંમેલનએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર બંને નેતાઓ સીધા મળ્યા. જોકે, બેઠકને 'ઉપયોગી' ગણાવતા ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે હાલમાં કોઈ મોટો કરાર થયો નથી. તેમણે કહ્યું કે અમે થોડી પ્રગતિ કરી છે, પરંતુ અમે હજુ સુધી અમારા ગંતવ્ય પર પહોંચ્યા નથી.

અપેક્ષાઓ અને અધૂરા પરિણામો

ટ્રમ્પે વાટાઘાટોને 'ખૂબ જ સકારાત્મક' ગણાવી અને એમ પણ કહ્યું કે તેઓ યુક્રેનિયન રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને નાટો નેતાઓ સાથે આગામી પગલાં અંગે ચર્ચા કરશે. પુતિને ટ્રમ્પની 'મૈત્રીપૂર્ણ' ભાષા અને રશિયાના રાષ્ટ્રીય હિતોની સમજણની પ્રશંસા કરી. જોકે, વાટાઘાટોમાંથી કોઈ નક્કર ઘોષણા કે લેખિત કરાર થયો નથી.

આ પણ વાંચો: પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, તાત્કાલિક ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવ્યાં