World

અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન, જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતે પોતાના સત્તાવાર નકશામાં અરુણાચલ પ્રદેશના 27 સ્થળોના નામ સામેલ કર્યા છે. 'સરવે ઑફ ઇન્ડિયા' દ્વારા અપડેટ કરાયેલા આ નકશામાં 4 પહાડી દર્રા અને 1 ઝીલ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. ચીને આ પગલાંને તેના 'ઝાંગનાન' ક્ષેત્રમાં એકતરફી કાર્યવાહી ગણાવી વિરોધ કર્યો છે. ચીની નિષ્ણાતોના મતે, આ ભારતનું પગલું બંને દેશોના સુધરી રહેલા સંબંધોથી વિપરીત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન, જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

india china border dispute: ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. તાજેતરમાં ભારતે પોતાના સત્તાવાર નકશામાં અરૂણાચલ પ્રદેશના 27 સ્થળોના નામોનો સમાવેશ કર્યો છે. ચીન આ પગલાને પોતાના 'ઝાંગનાન' ક્ષેત્રમાં એકતરફી કાર્યવાહી ગણાવીને ટીકા કરી રહ્યું છે. ચીની નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતનું આ પગલું બંને દેશો વચ્ચે સુધરી રહેલા સંબંધોથી વિપરીત છે.

સરવે ઑફ ઇન્ડિયાએ અપડેટ કર્યો નકશો

ભારત સરકારે શુક્રવારે 'સરવે ઑફ ઇન્ડિયા'ના અપડેટ કરેલા નકશામાં 4 પહાડી દર્રા(પાસ) અને 1 ઊંચાઈ પર આવેલી ઝીલ(તળાવ) સહિત 27 સ્થળોના નામ સામેલ કર્યા છે. ભારતનું કહેવું છે કે, તેનાથી આ સ્થળોની સાચી ઓળખ સુનિશ્ચિત થશે અને તેમની ભૌગોલિક તથા ઐતિહાસિક મહત્ત્વતા વિશે લોકોમાં જાગરૂકતા વધશે. આ પગલું સીમા બાબતો પર બંને દેશો વચ્ચે 6 ઑગસ્ટે નવી દિલ્હીમાં યોજાયેલી 36મી બેઠકના થોડા દિવસો બાદ લેવાયું છે.

ચીનનો વિરોધ અને જૂનું સ્ટેન્ડ

ચીની નિષ્ણાતો આ કાર્યવાહીની ટીકા કરી રહ્યા છે. ચીનનો દાવો છે કે, ઝાંગનાન ક્ષેત્ર (જેને ભારત અરૂણાચલ પ્રદેશ કહે છે) પ્રાચીન સમયથી તેનો હિસ્સો છે. 2017થી ચીને આ વિસ્તારના 112 સ્થળોના પોતાના હિસાબે માનક નામો જાહેર કર્યા છે. ચીન મેકમોહન રેખાને ગેરકાયદેસર માને છે, અને અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો સ્વીકારતું નથી.

સંબંધો પર શું અસર પડશે?

તાજેતરના મહિનાઓમાં બંને દેશોએ સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા છે. ડિસેમ્બર 2024માં સીમા મુદ્દાઓ પર છ-સૂત્રીય સહમતિ બની હતી, અને તાજેતરમાં નાથૂ લા પાસ પણ 6 વર્ષ બાદ વેપાર માટે ફરી ખોલવામાં આવ્યો છે. પરંતુ ચીની નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, નકશા અંગેની એકતરફી કાર્યવાહીથી વાતચીતનો સકારાત્મક માહોલ પ્રભાવિત થઈ શકે છે. બીજી તરફ ભારત પોતાનો સાર્વભૌમ અધિકાર વ્યક્ત કરવા માટે પોતાના ક્ષેત્રોના સાચા નામ જાળવી રાખવા મક્કમ છે.