શું તમે પણ ડાયાબિટીસના દર્દી છો, સવારે આ હેલ્ધી ડ્રિંક્સથી કરો દિવસની શરુઆત
Diabetes : ડાયાબિટીસ એક એવો રોગ છે, જેમાં દવા સાથે ડાયટનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. નાની ભૂલ પણ તમારુ શુગર લેવલ વધારી શકે છે. જો કે, તમે પોષક તત્વોથી ભરપુર ખોરાક લો, સંતુલિત આહાર જાળવો છો, કસરત કરો છો અને સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવો છો, તો તમે આ રોગને સરળતાથી કન્ટ્રોલ કરી શકો છો.અહીં અમે તમને કેટલાક એવા ડ્રિંક્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે ડાયાબિટીસના દર્દી પી શકે છે. તમે ઈચ્છો તો ડોક્ટરની સલાહ લઈને વહેલી સવારે તેનું સેવન કરી શકો છો.
આ પણ વાંચો: કેરી સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુ,ઝાડાની સાથે ચામડીમાં પણ થઈ શકે છે સમસ્યા
મેથી દાણા
મેથી દાણા શુગરના લેવલને ઓછુ કરીને તેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા સોલ્યૂબલ ફાઇબર ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં ફાયદાકારક છે.
તજ
તજનો એક નાનો ટુકડો પાણીમાં ઉકાળીને તેને પીવાથી ગ્લુકોઝ મેટાબોલિઝ્મમાં સુધારો કરે છે.
આમળા
આમળામાં વિટામિન સી અને પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે, અને ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના બે મુખ્ય ફેક્ટર છે.
આ પણ વાંચો: બ્રેઈન ટ્યુમર ડે: મગજની ગાંઠના દર વર્ષે 28000 નવા કેસ, 24000થી વધુના મૃત્યુ, જાણો લક્ષણો
ગરમ પાણી સાથે હળદર
સવારે ગરમ પાણીમાં એક ચપટી હળદર નાખીને પીવાથી બળતરા રોકવામાં મદદ મળે છે. કારણ કે હળદરમાં એક્ટિવ સંયોજન કર્ક્યુમિનની જૈવઉપલબ્ધતા ઓછી હોય છે. એટલા માટે એક ચપટી કાળા મરી ઉમેરવાથી તેને શોષવામાં મદદ મળે છે. તે બળતરા અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, જે ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે.
આ આર્ટીકલમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેનો અમલ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.