Get The App

ભાવનગરના સિહોરમાં હચમચાવી મૂકે તેવી ઘટના, શ્રમિક દંપતીની કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગરના સિહોરમાં હચમચાવી મૂકે તેવી ઘટના, શ્રમિક દંપતીની કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા 1 - image


Bhavnagar Crime: ભાવનગરના સિહોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચેના ઝઘડાનું લોહીલુહાણ અંત આવ્યો છે.  સામાન્ય બાબતથી શરૂ થયેલા ઝઘડા બાદ રોષે ભરાયેલા આરોપીએ શ્રમિક પતિ-પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 223 એક્ટિવ કેસ, 3 દિવસમાં બમણો વધારો, અમદાવાદમાં સૌથી વધુ

શું હતી સમગ્ર ઘટના? 

ભાવનગર જિલ્લાના સિહોરના કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચે ગુરૂવારે રાત્રે 12:30થી 12 ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી રામુભાઈ અને તેમના પત્ની પર ઘા કરી તેમની હત્યા કરવામાં આવી હતી. કુહાડીના ઘાના કારણે વધુ પડતું લોહી વહી જવાના કારણે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના કરતાં ટીબી વધુ ઘાતક, રોજ સરેરાશ 380 નવા કેસ, 8ના મોત

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાંથી હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી આવી છે. પોલીસે આરોપીને ઝડપી લઈ આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે. હાલ, મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ, આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. 


Tags :