Get The App

ગુજરાતમાં કોરોના કરતાં ટીબી વધુ ઘાતક, રોજ સરેરાશ 380 નવા કેસ, 8ના મોત

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
Tuberculosis more Deadly than Covid in Gujarat


Tuberculosis more Deadly than Covid in Gujarat: એક વર્ષમાં ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) ના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. જોકે, છેલ્લા 8 વર્ષમાં ટી.બી.ના મૃત્યુદરમાં 37%, નવા કેસના પ્રમાણમાં 34% ઘટાડાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન ટી.બી.ના 1.39 લાખ કેસ નોંધાયા હતા. ટી.બી.ના સૌથી વધુ કેસ મામલે ઉત્તર પ્રદેશ 6.81 લાખ સાથે મોખરે હતું. એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34% અને મૃત્યુદરમાં 37% નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 

કોરોના કરતાં પણ ટીબીની વધુ ઘાતકતા 

છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓ રજીસ્ટ્રેશનમાં વર્ષ 2022 માં 1,42,133, વર્ષ 2023 માં 1,33,799, વર્ષ 2024 માં 1,33,805 નોંધણી થઇ છે. જેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા જોતા વર્ષ 2022 માં 1,30,438, વર્ષ 2023 માં 1,22,588 અને વર્ષ 2024 માં 1,24,971 ટીબીની બિમારીને મ્હાત આપીને સાજા થયા છે. વર્ષ 2025 માં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 45,282 નવા ટી.બી.દર્દીઓ નોંધાયા છે. મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા 1011 છે. જે વર્ષ 2024-25 માં આ સમયગાળા દરમિયાન 2201 હતી. 

છેલ્લા 3 વર્ષમાં ટી.બી.ના 4.09 લાખ કેસ નોંધાયા 

આમ, ટીબીના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ટી.બી.ના દર્દીઓ સ્વસ્થ થાય અને મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોટોકોલ તૈયાર કરાયો છે. જેમાં ટીબી નિદાનના તમામ તબક્કામાં દર્દીઓને અતિજોખમી અને ઓછા જોખમીની શ્રેણીમાં વિભાજીત કરાય છે. 

અતિજોખમી ટીબીના દર્દીઓની સારવાર માટે સબ ડિસ્ટ્રીક્ટથી મેડિકલ કાલેજ સંલગ્ન હોસ્પિટલ સુધી તમામ પ્રકારની સારવાર, ઉપલબ્ધ કરાવવામાં દવા શરૂ થવાના 15 દિવસ બાદ અને ત્યારબાદ 2 મહિના પછી સમગ્ર સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવે છે. 

આ પણ વાંચો: સુધારેલા સ્ટેમ્પ એક્ટ હેઠળ પણ 50 ચો.મી.થી નાના ફ્લેટ ઉપર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી ના શકાય

ટીબીના દર્દીઓને રૂ. 46.50 કરોડની સહાય ચૂકવાઈ 

ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા ભારત સરકાર દ્વારા દર મહિને રૂ. 1000ની સહાયતા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દર્દીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2024માં 1,19,833 દર્દીઓના ખાતામાં કુલ રૂ. 49.50 કરોડની સહાય ડીબીટી દ્વારા જમા કરાવાઈ છે. 

ગુજરાતમાં કોરોના કરતાં ટીબી વધુ ઘાતક, રોજ સરેરાશ 380 નવા કેસ, 8ના મોત 2 - image

Tags :