Gujarat

જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર!

By GS TEAM
29 Jul 20252 mins read
TukuTouch Logo
જામનગર નજીક આવેલા સિક્કા ગામમાં, આશરે 200 વર્ષ જૂનું અને અતિ પ્રાચીન સુખનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં ધર્મેન્દ્રપૂરી ધીરજપુરી ગોસ્વામી અને તેમનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી સેવા પૂજા કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના ચારેય સોમવારે અહીં ભગવાન શિવના વિવિધ દર્શનોની ઝાંખી તૈયાર કરવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર!

Sukhnath Mahadev Temple, Jamnagar: જામનગર નજીક આવેલા સિક્કા ગામમાં, આશરે 200 વર્ષ જૂનું અને અતિ પ્રાચીન સુખનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં ધર્મેન્દ્રપૂરી ધીરજપુરી ગોસ્વામી અને તેમનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી સેવા પૂજા કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના ચારેય સોમવારે અહીં ભગવાન શિવના વિવિધ દર્શનોની ઝાંખી તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી

₹5,55,555ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા

આ વર્ષે, સુખનાથ મહાદેવ મંદિરના સમગ્ર ગ્રુપ દ્વારા એક અત્યંત અનોખો અને વિશિષ્ટ શણગાર તૈયાર કરવામાં આવ્યો છે: ભગવાનને ₹5,55,555ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ મંદિરના પૂજારી અને તેમની ટીમે આ શણગારની તૈયારી કરી હતી.

આ પણ વાંચો : માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું

સુખનાથ મહાદેવના આ દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી

શિવલિંગને ₹500ના દર ઉપરાંત ₹200, ₹100, ₹50, ₹20, ₹10 અને ₹5 રૂપિયાની નવી નકોર ચલણી નોટોના હાર સ્વરૂપે અને અલગ અલગ રીતે શણગારીને દિવ્ય દર્શનની ઝાંખી ઉભી કરવામાં આવી હતી. આ અનોખા દર્શનનો લ્હાવો લેવા માટે સિક્કા અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અનેક શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સુખનાથ મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રકારનો શણગાર ભક્તોમાં કુતૂહલ અને આસ્થા બંનેનો સંચાર કરી રહ્યો છે.