મોદી સરકારનો મોટો નિર્ણય, આયુષ્યમાન ભારતમાં કોરોના વાઇરસની મળશે મફત સારવાર
Updated: Mar 19th, 2020
અમદાવાદ, તા. 18 માર્ચ 2020 ગુરૂવાર
આયુષ્યમાન ભારત સ્કીમમાં આરોગ્ય બાબતે અગમ ચેતીના પગલાની કોઇ સ્કીમ સમાવાઈ નથી.
આઇસોલેશનમાં લેવાતી કોઇ સારવારને પણ સમાવાઈ નથી. કોરોના વાઇરસના પગલે સરકાર વાઇરસથી થતા રોગાની સારવારના ખર્ચને પણ આયુષ્યમાનમાં સમાવશે એમ લાગી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે લોકોને થતા સારવારનો ખર્ચ આયુષ્યમાન સ્કીમમાં લાભ નથી મળતો.
સરકારે હવે તમામ પ્રકારના વાઇરસની સારવારનો ખર્ચ આપવા વિચારવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી અનુસાર સરકારે આયુષ્યમાન સ્કીમમાં વાઈરસની સારવારને સમાવવા તૈયારી શરૂ કરી દીધી છે.
Treatment of symptoms of #COVID19 #Corona like Pneumonia, Fever, Respiratory Failure etc. is available, thru diff. Packages, under #AyushmanBharat #PMJAY free of cost for eligible people in empanelled hospitals & other designated hospitals. @PMOIndia @drharshvardhan @MoHFW_INDIA
— Dr. Indu Bhushan (@ibhushan) March 16, 2020