Gujarat

સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ત્રીજા, પાંચમાં અને નવમા માળે ફરી ભીષણ આગ ભડકી

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ત્રીજા, પાંચમા અને નવમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. કલાકોના પ્રયાસો બાદ ભારે જહેમતે ફાયરબ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લીધી હતી. હવે કૂલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ ફરી એકવાર ત્રણેય માળે આગ ભભૂકતાં ફરી એકવાર ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવા પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ત્રીજા, પાંચમાં અને નવમા માળે ફરી ભીષણ આગ ભડકી

Surat Fire: સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ત્રીજા, પાંચમા અને નવમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. કલાકોના પ્રયાસો બાદ ભારે જહેમતે ફાયરબ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લીધી હતી. હવે કૂલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ ફરી એકવાર ત્રણેય માળે આગ ભભૂકતાં ફરી એકવાર ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવા પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા. 


આ પણ વાંચોઃ ખાટુશ્યામ દર્શને જતાં વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના ત્રણ માળમાં આગ લાગી હતી. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 22થી વધુ ફાયરની ગાડીઓ હાજર હતી અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. 

22થી વધુ ફાયરની ગાડીઓ હાજર

ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. સદ્ભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

આ પણ વાંચોઃ હું કારના ટાયરમાં ફસાયો ન હોત તો વધુ લોકો કચડાયા હોત..' તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની

હાલ, પોલીસ વિભાગ દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. આગની ઘટનાના કારણે આસપાસમાં અફરાતફરીનો માહોલ તેમજ ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે આસપાસના લોકોને પોલીસ અને ફાયર વિભાગને સહયોગ માટે વિનંતી કરવામાં આવી રહી છે.